એપશહેર

Shraddha Murder: 3 તસવીરો, 37 બોક્સ અને એ તળાવ...શ્રદ્ધા મર્ડર કેસમાં આફતાબના ત્રણ રહસ્ય

આફતાબે 2020માં શ્રદ્ધાને માર માર્યો હતો. એ પછી શ્રદ્ધાએ જે વ્યક્તિની મદદ લીધી હતી પોલીસ એની પૂછપરછ કરી રહીછે. મહરૌલી અને ગુરુગ્રામના જંગલોમાં પોલીસ વ્યાપક પણે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ખોપડી, જડબાના ભાગ પણ પોલીસને મળ્યા છે. જેને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. ત્રણ રહસ્ય છે કે જેનાથી આફતાબ-શ્રદ્ધા કેસની તપાસ નિષ્કર્ષ સુધી પહોંચી શકે છે.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 21 Nov 2022, 10:42 am

હાઈલાઈટ્સ:

  • જડબાને ફોરોન્સિક તપાસ માટે પોલીસે મોકલી આપ્યું છે
  • પાલરમાં દિલ્હી પોલીસના અધિકારીઓનો જમાવડો
  • મહરૌલીમાં તળવમાંથી પાણી નીકાળવામાં આવી રહ્યું છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Shraddha Murder case
શ્રદ્ધા હત્યા કેસમાં આફતાબના ત્રણ રહસ્યો છે, જેનાથી તપાસ નિષ્કર્ષ સુધી પહોંચી શકે છે.
નવી દિલ્હી/મુંબઈઃ શ્રદ્ધા હત્યાકાંડની તપાસ માટે દિલ્હી પોલીસની એક ટીમે મહારાષ્ટ્રમાં જમાવડો કર્યો છે. આજે દિલ્હીમાં આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે. આ દરમિયાન એવું સામે આવ્યું છે કે, 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કર્યાના ત્રણ અઠવાડિયા બાદ આફતાબે વસઈવાળા ઘરમાંથી ઘણો સામાન દિલ્હી શિફ્ટ કર્યો હતો. રવિવારના રોજ દિલ્હી પોલીસે પાલઘર જિલ્લામાં વસઈમાં ત્રણ લોકોના નિવેદન પણ લીધા છે. એમાંથી એક મૂવર્સ એન્ડ પેકર્સ ફર્મ સાથે સંકળાયેલો છે, જેના દ્વારા આરોપી આફતાબે વસઈથી દિલ્હીના છતરપરુમાં 37 બોક્સ મોકલ્યા હતા. આફતાબે આ ફર્મનો પાંચ જૂનના રોજ સંપર્ક કર્યો હતો. પોલીસને જાણવા મળ્યું છે કે, આફતાબે અચાનક મુંબઈથી મહરૌલીમાં છતરપુર પહાડી શિફ્ટ થવાનો પ્લાન બનાવી લીધો હતો. રેંટ એગ્રીમેન્ટ ઓગસ્ટ 2022માં ખતમ થવાનો હતો. એટલું જ નહીં આફતાબના ત્રણ રહસ્ય પણ સામે આવ્યા છે, જેનાથી ઈનસાઈડ સ્ટોરી જાણવા મળી શકે છે.
રહસ્ય 1-એ 37 બોક્સમાં શું હતું?
હત્યાના ત્રણ અઠવાડિયા બાદ 5 મેના રોજ તેણે મીરા રોડ સ્થિત ગુડલક પેકર્સ એન્ડ મૂવર્સનો સંપર્ક કર્યો હતો. આફતાબે રુપિયા 20 હજારનું ઓનલાઈન પેમેન્ટ કર્યુ હતુ. કંપનીના ગોવિંદ યાદવે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, 37 પેકેટ હતા, જેમાં વોશિંગ મશીન અને ઘરનો સામાન સામેલ હતો. 2019માં આ કપલે સાથે રહેવાનું શરુ કર્યુ હતુ અને તેઓ વસઈ વિસ્તારના ત્રણ ફ્લેટમાં રહી રહ્યા હતા.

પરિવાર બીજે શિફ્ટ થયો
પોલીસે હવે પોતાનું ફોકસ એ લોકો પર કર્યુ છે કે જેઓ આફતાબને જાણતા હતા અને તેના સંપર્કમાં હતા. વસઈ વેસ્ટ સ્થિત યૂનિક પાર્ક સોસાયટીના સચિવ અબ્દુલ ખાનનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. જ્યાં આફતાબનો પરિવાર બે દાયકાથી રહેતો હતો. ખાને પોલીસને જણાવ્યું કે, આફતાબી 12 નવેમ્બરના રોજ ધરપકડ થઈ એના બે અઠવાડિયા પહેલાં જ પરિવાર બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયો હતો. અમીનને જણાવ્યું હતું કે મુંબઈમાં પોતાના નાના દીકરા અસદ પાસે જઈ રહ્યા હતા. જ્યાં તેની નોકરી લાગી છે. તેઓએ ઘરનું નવું એડ્રેસ નહોતુ જણાવ્યું. યૂનિક પાર્કવાળા ઘરને પૂનાવાલા પરિવારે ભાડે આપ્યુ છે.
Shraddha Murder Case:શ્રદ્ધા કેસની હકીકત સામે લાવવા માટે આફતાબને નાર્કો ટેસ્ટ વખતે 100 સવાલો પૂછવામાં આવશે
રહસ્ય 2-ત્રણ ફોટો કેમ સળગાવ્યા?
આફતાબ વિશે એવું જાણવા મળ્યું છે કે તે કોઈ વાતને લઈને શ્રદ્ધા પર ખૂબ જ ગુસ્સે રહેતો હતો. એક સૂત્રએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, આફતાબે જણાવ્યું છે કે તેણે શ્રદ્ધાના ફોટા પણ સળગાવ્યા હતા. એટલું જ નહીં ગુસ્સામાં તેણે શ્રદ્ધાના એકાઉન્ટમાંથી પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા. તેનો દાવો છે કે શ્રદ્ધાએ તેની પાસેથી રુપિયા લીધા હતા અને પરત આપ્યા નહોતા.

શ્રદ્ધાના એકાઉન્ટમાંથી 54 હજાર નીકાળ્યા
આફતાબે તપાસકર્તાઓને જણાવ્યું છે કે, કેવી રીતે તેણે મર્ડર બાદ શ્રદ્ધાના ત્રણ મોટા ફોટા સળગાવ્યા હતા. એમાંથી બે તસવીરો ઉત્તરાખંડ ટ્રિપની હતી. ત્રીજી તસવીર 2020માં ગેટ વે ઓફ ઈન્ડિયાની હતી. તેણે પહેલા ફ્રેમને તોડી નાખી અને પછી તસવીરોને સળગાવી દીધી હતી. 26 મેના રોજ શ્રદ્ધાના એકાઉન્ટમાંથી તેણે રુપિયા 54 હજાર નીકળ્યા હતા. આફતાબનો દાવો છે કે શ્રદ્ધાએ તેની પાસેથી રુપિયા ઉધાર લીધા હતા. હત્યાના દિવસે ઝઘડો થયા બાદ શ્રદ્ધાએ તેની તરફ કંઈક ફેંક્યુ હતુ. એના કારણે ગુસ્સો આવી ગયો અને ગળુ દબાવીને હત્યા કરી નાખી. જ્યારે શ્રદ્ધાનું શરીર શાંત પડી ગયુ ત્યારે તે અટકી ગયો હતો. જો કે, પોલીસ તેના દાવા પર વિશ્વાસ મૂકતા પહેલાં નાર્કો ટેસ્ટ કરાવવા માગે છે.
શ્રદ્ધા બાદ વધુ એક યુવતીની ટુકડા કરાયેલી લાશ મળતા ખળભળાટ, માથું પણ કાપી નાખ્યું
રહસ્ય 3-તળાવમાં ફેંક્યુ હતુ શ્રદ્ધાનું કાપેલુ માથુ?

દિલ્હી પોલીસની ટીમ સતત મહરૌલીમાં શ્રદ્ધાની લાશના ટૂકડા શોધી રહી છે. રવિવારે જંગલમાંથી ખોપડીના કેટલાંક ભાગ અને હાડકાઓ મળ્યા છે. જો કે, હજુ સુધી એ કન્ફર્મ નથી થયુ કે આ જડબુ શ્રદ્ધાનું છે કે નહીં. દક્ષિણ દિલ્હીના મેદાનગઢીમાં એક તળાવ ખાલી કરવા માટે ટીમ કામ કરી રહી છે. દિલ્હી નગર પાલિકાની ટીમની સાથે મળીને પોલીસે તળવામાંથી પાણી નીકાળ્યું છે. જો કે, આફતાબે દાવો કર્યો છે કે તેણે શ્રદ્ધાનું કાપેલુ માથુ અને કેટલાંક અવશેષો આ જ તળાવમાં ફેંક્યા હતા.

ટૂકડા સગેવગે કર્યા
આફતાબે 18 મેનારોજ શ્રદ્ધાનું ગળુ દબાવીને હત્યા કરી હતી અને પછી લાશના ટૂકડા કર્યા હતા. આ ટૂકડાઓને દક્ષિણ દિલ્હીના મહરૌલીમાં આવેલા પોતાના ઘર પર લગભગ ત્રણ અઠવાડિયા સુધી 300 લીટરવાળા ફ્રિજમાં રાખ્યા હતા. આ ટૂકડાઓને સગેવગે કરવા માટે તે કેટલાંક દિવસો સુધી અડધી રાત્રે નીકળતો અને ફેકી આવતો હતો. બીજી તરફ, દિલ્હીની એક કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આફતાબ પર થર્ડ ડિગ્રીનો ઉપયોગમાં કરવામાં આવે નહીં.
Read Latest Crime News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story