એપશહેર

Shraddha Murder: હત્યાથી લઈ પુરાવા નષ્ટ કરવા સુધી, કોણે કરી આફતાબની મદદ?

Shraddha Murder Case News: આરોપી આફતાબનો ત્રણ દિવસ સુધી પોલીગ્રાફ ટેસ્ટ ચાલ્યો, પરંતુ તબિયત ખરાબ હોવાના કારણે તે પૂરો થઈ શક્યો નથી. આજે આફથાબનો ફરીથી પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. બીજી તરફ, પોલીસને શંકા છે કે આ હત્યાકાંડમાં આફતાબની કોઈએ મદદ કરી છે. એટલે પોલીસ એ દિશામાં પણ હાલ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે, આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેની લાશના 35 ટૂકડા કર્યા હતા.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 28 Nov 2022, 3:06 pm

હાઈલાઈટ્સ:

  • પોલીસને શંકા છે કે મર્ડર કેસમાં વધુ એક આરોપી હોઈ શકે છે
  • હત્યાથી લઈને પુરાવા નષ્ટ કરવા સુધી કોઈએ કરી આફતાબની મદદ?
  • નાર્કો ટેસ્ટ માટે પોલીસે 70 જેટલા પ્રશ્નોની યાદી તૈયાર કરી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat delhi murder case
નાર્કો ટેસ્ટ માટે પોલીસે 70 જેટલા પ્રશ્નોની યાદી તૈયાર કરી
Shraddha Walker Murder Case: શ્રદ્ધા મર્ડર કેસમાં દરરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હવે આ મર્ડર મિસ્ટ્રીમાં સૂત્રોના હવાલાથી નવો ખુલાસો થયો છે. પોલીસને શંકા છે કે શ્રદ્ધા હત્યાકાંડમાં આરોપી આફતાબ પૂનાવાલાનો કોઈ મદદગાર રહ્યો હોઈ શકે છે. પોલીસને શંકા છે કે તેણે હત્યાથી લઈ પુરાવા નષ્ટ કરવામાં આફતાબની મદદ કરી હતી. એટલે કે આ હત્યાકાંડમાં વધુ એક આરોપી હોઈ શકે છે. જેથી પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેનો મોબાઈલ ફોન ગાયબ કરી દીધો હતો. એ પહેલાં મોબાઈલને ફેક્ટરી રિસેટ કર્યો હતો. જેથી કરીને મોબાઈલનો ડેટા રિકવર કરવો લગભગ અશક્ય બની જાય.
આફતાબનો પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
બીજી તરફ, દિલ્હી પોલીસ આફતાબના નજીકના લોકોનાં નિવેદનો નોંધી રહી છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ, આરોપી આફતાબે પૂછપરછમાં શ્રદ્ધા મર્ડર કેસને લઈને વિવિધ સ્ટોરીઓ ઘઢી કાઢીને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે.
Shraddha Murder: કોના ફોન કૉલથી આફતાબ સતર્ક બની ગયો? આ રીતે નષ્ટ કર્યા મહત્વના પુરાવા
આજે ફરી થશે પોલીગ્રાફ ટેસ્ટ
શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબનો આજે ફરી એકવાર પોલીગ્રાફ ટેસ્ટ થશે. અત્યાર સુધીમાં આફતાબનો 20 કલાકથી વધુ સમયનો પોલીગ્રાફ ટેસ્ટ થઈ ચૂક્યો છે. જો કે, દિલ્હી પોલીસને આ દરમિયાન કોઈ મહત્વના પુરાવા હાથ લાગ્યા નથી. આફતાબ ખૂબ જ ચાલાકીપૂર્વક પોલીગ્રાફ ટેસ્ટમાં ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યો. એડિશનલ ડિરેક્ટર સંજીવ ગુપ્તાનું કહેવું છે કે, પોલીગ્રાફી ટેસ્ટનો એક સેશન બચ્યો છે, જેના માટે આફતાબને આજે લાવવામાં આવશે. અમારી ટીમ સવારથી તૈયાર છે. જેવો આફતાબને એફએસએલમાં લાવવામાં આવશે ટેસ્ટ શરુ કરી દેવામાં આવશે.

50 સવાલો પૂછવામાં આવ્યા
આ પહેલાં આરોપી આફતાબનો ત્રણ દિવસ સુધી પોલીગ્રાફ ટેસ્ટ થયો હતો, પરંતુ તેની તબિયત ખરાબ હોવાથી તે પૂરો થઈ શક્યો નહીં. આ દરમિયાન આફતાબને શ્રદ્ધા સાથેના સંબંધો અને હત્યાકાંડને લઈને 50થી પણ વધુ સવાલો પૂછવામાં આવ્યા હતા. એ પછી આફતાબને જ્યુડિશિયલ કસ્ટડી માટે તિહાડની જેલમાં બંધ કરવામાં આવ્યો છે. પોલીસને તમામ ટેસ્ટ પૂર્ણ કરવા માટે માત્ર જ દિવસનો સમય મળ્યો છે. પોલીસ આ દરમિયાન આફતાબ પાસેથી પુરાવાઓની જાણકારી મેળવવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે.
Shraddha Murder Case: આફતાબની જેલમાં પહેલી રાત કેવી રહી? અન્ય કેદીઓને તેણે આ સવાલો પણ કર્યા
આફતાબનો નાર્કો ટેસ્ટ
પોલીગ્રાફ ટેસ્ટ બાદ આ અઠવાડિયામાં આફતાબનો નાર્કો ટેસ્ટ પણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આફતાબ પાસેથી મળેલા જવાબો અને મળેલા પુરાવાઓના આધારે દિલ્હી પોલીસે નાર્કો ટેસ્ટ માટે 70 જેટલાં સવાલોની યાદી પણ તૈયાર કરી લીધી છે. જો કે, હાલ પોલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે. એટલા માટે એ વાતનો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે નાર્કો ટેસ્ટમાં હજુ કેટલોક સમય લાગી શકે છે.
Read Latest Crime News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story