એપશહેર

ગાંધીનગરઃ ક્રૂર પત્નીએ પતિને ચપ્પાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો

Tejas Jinger | I am Gujarat 15 Jul 2020, 4:45 pm

ગાંધીનગરઃ શહેરના છેવાડે આવેલા 26 સેક્ટરમાં ક્રૂર પત્નીએ પતિની ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કર્યાની ઘટના બની છે. પોલીસે આ ઘટનામાં આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાનું કારણ પરિવારની આંતરિક ઝઘડા કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પહેલા પતિએ આત્મહત્યાની કોશિશ કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિ વાકજી ચૌધરીએ આત્મહત્યાની કોશિશ કરી હોવાની આશંકા છે. વાકજીએ ઊંદર મારવાની દવા ખાઈ લીધી હતી. આ પછી તે બેભાન થઈ ગયો હતો જે પછી પત્ની ઉમિયાએ આવેશમાં આવીને તેના પતિનું ખૂન કરી નાખ્યું હતું. પત્નીએ એટલા ક્રૂર રીતે પતિને ચપ્પાના ઘા ઝીંક્યા હતા કે તેના શરીરમાંથી આંતરડા બહાર આવી ગયા હતા.

મુંબઈમાં તોફાની વરસાદ ખાબક્યો, હાલ થયા બેહાલ

મૃતક વાકજી છેલ્લા5 વર્ષથી ગાંધીનગરમાં રહીને પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસાય સાથે જોડાયેલો હતો. પોલીસે જણાવ્યું છે કે, વાકજી અને ઉમિયાના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હતા. પત્ની વારંવાર સાસરે જતી રહેતી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે, કારણ કે તેને પિયરમાં નહોતું ફાવતું. પત્ની વાકજીના ઘરે 10 દિવસ પહેલા જ આવી હતી અને આ કરૂણ ઘટના બની છે. આમ જોતા અહીં પ્રેમપ્રકરણની આશંકા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

મંગળવારે રાત્રે પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોથી ઝઘડો થયો હતો. હવે વાકજીએ પોતે ઝેરી દવા ખાધી કે પછી તેને ખવડાવવામાં આવી તે દિશામાં પણ પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે આરોપી મહિલાના ફોનની પણ તપાસ શરુ કરી દીધી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો