એપશહેર

ચારિત્ર્ય અંગે શંકા હોવાથી પતિએ પત્નીને ત્રીજા માળેથી ફેંકી કરી હત્યા

I am Gujarat 18 Sep 2016, 3:51 pm
નવગુજરાત સમય.કોમ
I am Gujarat husbund kill her wife bcoz extramarital affair
ચારિત્ર્ય અંગે શંકા હોવાથી પતિએ પત્નીને ત્રીજા માળેથી ફેંકી કરી હત્યા

અમદાવાદઃ વાડજ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા પતિએ ચારિત્ર્ય અંગે શંકા રાખી તેની પત્નીને ત્રીજા માળેથી ફેંકી હત્યા કરી હોવાની ઘટના શનિવારે રાત્રે સામે આવી હતી. પોલીસે પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાડજ વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા સુનિલ રોહિતભાઇ પટેલ નામના યુવકે તેની જ પત્ની પ્રતિક્ષા(27)ના ચારિત્ર્ય અંગે શંકા રાખતો હતો. જેના કારણે બંને વચ્ચે અણબનાવ રહેતો અને લડાઇ થતી રહેતી હતી. શનિવારે રાત્રે કોઇ બાબતને લઈ બંને વચ્ચે ઝઘડો થયો. જેમાં સુનિલે તેની પત્નીને માર માર્યો અને ઘરના ત્રીજા માળેથી નીચે ફેંકી હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા અને પોલીસને જાણ થતાં તે પણ આવી પહોંચી હતી.

પોલીસે તપાસ હાથ ધરી આરોપી પતિ સુનિલ પટેલની અટકાયત કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. મળતી માહિતી મુજબ સુનિલે એલએલબીનો અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો