એપશહેર

અમદાવાદ: દીકરીએ બીજી જ્ઞાતિના યુવક સાથે લગ્ન કર્યા, પિતાએ જમાઈને જાહેરમાં માર્યો

શિવાની જોષી | TNN 5 Oct 2019, 9:58 am
અમદાવાદ: શુક્રવારે નહેરુનગર વિસ્તારમાં 28 વર્ષીય યુવકે પોતાના સસરા વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે. કથિત રીતે યુવકના સસરાએ ખાનપુરમાં તેના પર હુમલો કર્યો હતો અને પોતાની દીકરીને સાથે લઈ ગયા હતા. યુવક અને તેની પત્ની પોતાના આંતરજ્ઞાતિય લગ્ન રજિસ્ટર કરાવે તે પહેલા જ આ ઘટના બની હતી. LED લાઈટ વેચતા સુરેશ ઠાકોરે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોસુરેશ ઠાકોરે FIRમાં જણાવ્યું, તેની પત્ની મેઘા પટેલના બોપલ નિવાસી પિતા વિનોદ પટેલે આઠ શખ્સો સાથે મળીને ખાનપુરમાં તેના પર હુમલો કર્યો હતો. સુરેશ અને મેઘા તેમના લગ્ન રજિસ્ટર કરાવવા માટે વકીલને મળવા જતા હતા ત્યારે હુમલો થયો હતો. ફરિયાદ પ્રમાણે, વિનોદ અને બાકીના શખ્સોએ કપલ સાથે મારામારી તેમજ ગાળાગાળી કરી હતી. બાદમાં મેઘાને કારમાં ધક્કો મારીને બેસાડીને ત્યાંથી જતા રહ્યા હતા. હુમલાખોરોમાંથી એક શખ્સે સુરેશને ધમકાવતા કહ્યું હતું કે, મેઘાને હંમેશા માટે ભૂલી જજે.શાહપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર આર. કે. અમીને કહ્યું, IPCની કલમ 323 (ઓચિંતો હુમલો), 294 (b) (અપશબ્દો કહેવા), 506 (2) (ગુનાહિત ધાકધમકી) અને 114 (ગુનાને ઉત્તેજન આપવું) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે ઈન્સ્પેક્ટર અમીનને પૂછવામાં આવ્યું કે, વિનોદ પટેલની સામે અપહરણનો ગુનો કેમ નથી નોંધાયો ત્યારે તેમણે કહ્યું, સુરેશ અને મેઘાએ હજુ લગ્ન કર્યા નથી એટલે વિનોદ પટેલ હજુ પણ તેના લીગલ ગાર્ડિયન છે.તો બીજી તરફ સુરેશે કહ્યું, બુધવારે તેણે અને મેઘાએ લગ્ન કરી લીધા હતા અને તેઓ લગ્ન રજિસ્ટર કરાવવા જતા હતા. સુરેશે વ્યથા ઠાલવતાં કહ્યું કે, જ્યારે વિનોદ પટેલ અને તેના સાથીદારો અમારી સાથે મારપીટ કરતાં હતા ત્યારે કોઈ મદદ કરવા આગળ આવ્યું નહોતું. સુરેશે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “મને ડર છે કે, મેઘાના માતા-પિતા તેને અસહ્ય ત્રાસ આપશે. એવામાં તે કોઈ ખોટું પગલું ભરશે તેવો ભય છે. તેના જીવને જોખમ છે.” સુરેશે કહ્યું કે, તે અને મેઘા છેલ્લા બે વર્ષથી રિલેશનશીપમાં છે. જો કે, સુરેશ બીજી જ્ઞાતિનો હોવાથી મેઘાના માતા-પિતાને આ સંબંધ મંજૂર નહોતો.અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં ગોવાના મુખ્યમંત્રીએ કરી મદદ
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો