એપશહેર

શ્રદ્ધાની ચિઠ્ઠી વાંચીને બોલિવૂડ એક્ટર કંગના રનૌત થઈ ગઈ ભાવુક, પોસ્ટ શેર કરીને કહી આ વાત

Kangana Ranaut :પોસ્ટમાં કંગના રનૌતે ભારતીય છોકરીઓ વાલીપણાથી મોટા થવા સુધીની પ્રક્રિયા પર નિખાલસતાથી વાત કરી હતી. તેણે લખ્યું 'આ એ જ પત્ર છે જે 2020માં શ્રદ્ધાએ પોલીસને મદદ માટે લખ્યો હતો. તેણે કહ્યું છે કે આફતાબ હંમેશા તેને ડરાવતો હતો. એટલું જ નહીં, તે તેના ટુકડા કરવાની ધમકી આપતો હતો. તે તેને બ્લેકમેલ કરતો હતો. આ બધું હોવા છતાં, ખબર નહીં કેવી રીતે તેણે શ્રદ્ધાનું બ્રેઈનવોશ કર્યું અને તેને પોતાની સાથે દિલ્હી લાવ્યો હશે. તેણે તેને દુનિયાથી અલગ કરી દીધી અને તેને કાલ્પનિક દુનિયામાં લઈ ગયો.'

Authored byParth Shah | I am Gujarat 24 Nov 2022, 5:34 pm

હાઈલાઈટ્સ:

  • શ્રદ્ધા મર્ડર કેસમાં અભિનેત્રી કંગના રનૌતે શેર કરી પોસ્ટ
  • બ્લેકમેલ, બ્રેઈનવોશ સહીત અન્ય બાબતોનો કર્યો ઉલ્લેખ
  • કંગના રનૌતે કહ્યું કે શ્રદ્ધા નબળી હતી, લગ્નનું વચન આપ્યું હતું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Kangana Ranaut Shraddha Walkar
કંગના રનૌત પોસ્ટ
શ્રદ્ધા મર્ડર કેસ એ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જેના કારણકે આજે દરેકના મનમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આ કેવી રીતે થયું? આખરે આટલી ઘાતકી હત્યા તો કોઈ જાનવરની પણ નથી કરી શકતું તો પછી તેના પ્રેમીએ તેની આ રીતે હત્યા કેવી રીતે કરી? જો.કે દરરોજ થઈ રહેલા ખુલાસાઓથી આશ્ચર્ય અને પરેશાન દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય રાખી રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ બોલિવૂડ સેલિબ્રિટી પણ ખુલ્લેઆમ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ બાબતે કોઈના માટે મૌન રહેવું યોગ્ય નથી. હવે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે શ્રદ્ધા કેસમાં એક એવી વાત કહી છે જેને જોઈને તમે પણ વિચારવા મજબૂર થઈ જશો. કંગના રનૌતે પણ શ્રદ્ધા મર્ડર કેસ પર પોતાની લાગણી વ્યક્ત કરી છે. શ્રદ્ધાએ લખેલી ચિઠ્ઠી વાંચ્યા બાદ અભિનેત્રીએ એક હૃદયદ્રાવક પોસ્ટ શેર કરી અને લખ્યું...
શ્રદ્ધા મર્ડર કેસમાં કંગના રનૌતની પોસ્ટ
પોસ્ટમાં કંગના રનૌતે ભારતીય છોકરીઓ વાલીપણાથી મોટા થવા સુધીની પ્રક્રિયા પર નિખાલસતાથી વાત કરી હતી. તેણે લખ્યું 'આ એ જ પત્ર છે જે 2020માં શ્રદ્ધાએ પોલીસને મદદ માટે લખ્યો હતો. તેણે કહ્યું છે કે આફતાબ હંમેશા તેને ડરાવતો હતો. એટલું જ નહીં, તે તેના ટુકડા કરવાની ધમકી આપતો હતો. તે તેને બ્લેકમેલ કરતો હતો. આ બધું હોવા છતાં, ખબર નહીં કેવી રીતે તેણે શ્રદ્ધાનું બ્રેઈનવોશ કર્યું અને તેને પોતાની સાથે દિલ્હી લાવ્યો હશે. તેણે તેને દુનિયાથી અલગ કરી દીધી અને તેને કાલ્પનિક દુનિયામાં લઈ ગયો.'

કંગનાએ આગળ લખ્યું કે 'આપણે બધા જાણીએ છીએ કે આ તેની સાથે 'લગ્નનું વચન' આપીને કરવામાં આવ્યું હતું. તે નબળી ન હતી. તે એક છોકરી હતી, જેનો જન્મ આ દુનિયામાં રહેવા માટે થયો હતો. પરંતુ કમનસીબે તેની અંદર એક સ્ત્રીનું હૃદય હતું. જે ઘા રૂઝાય છે. આપણી ધરતીની જેમ જ સ્ત્રી પણ એક એવો ગર્ભ છે, જેમાં સંબંધની ભાવના હોય છે જે તેને લાયક હોય કે ન હોય તે બધાને સ્વીકારે છે.

પોતાની વાત આગળ વધારતા કંગના લખ્યું કે તે એક એવી છોકરી હતી જે પરીકથાઓમાં વિશ્વાસ કરતી હતી. તેણી માનતી હતી કે વિશ્વને તેના પ્રેમની જરૂર છે. તે એવી દેવી હતી જેની પાસે ઘા મટાડવાની શક્તિ હતી. તે બિલકુલ નબળી ન હતી. તે એક છોકરી હતી જે પરીકથામાં રહેતી હતી. તેણી તેના સપનાની કહાનીઓમાં તેના હીરોની અંદરના રાક્ષસ સામે લડવાનો પ્રયાસ કરી રહી હતી. આપણે બધા જાણીએ છીએ કે પ્રેમ આપણને ડૂબી જાય છે. તેણીએ રાક્ષસોને મારવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ હીરો ઇચ્છતો હતો કે રાક્ષસો જીતે અને તે જ થયું'.

કંગના રનૌત એક એવી અભિનેત્રી છે, જે લગભગ દરેક મુદ્દા પર ખુલીને બોલે છે અને પોતાનો અવાજ ઉઠાવે છે. કંગનાની આ લાંબી પોસ્ટ જણાવે છે કે તે આ કેસને લઈને ખૂબ જ ગુસ્સે છે અને તે શ્રદ્ધાની માનસિક સ્થિતિને સમજવાનો પણ પ્રયાસ કરી રહી છે.

Read Next Story