એપશહેર

અમદાવાદઃ લોકડાઉનમાં ખાખરાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો હતો, પોલીસ ઘરે આવીને પકડી ગઈ

Yogesh Gajjar | Ahmedabad Mirror 18 Apr 2020, 7:48 am
કોરોના વાયરસના પ્રકોપના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. આ દરમિયાન કોઈપણ પ્રકારના બિઝનેસ ચાલુ ન રાખવાનો સરકાર તરફથી આદેશ અપાયો છે. તેમ છતાં આદેશનું ઉલ્લંઘન કરીને પોતાના ઘરમાં ગૃહઉદ્યોગ ચલાવી રહેલા એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ચાંદલોડિયામાં આવેલા અર્બુદાનગર-1માં રહેતો આ વ્યક્તિ ઘરમાં ખાખરાનો ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યો હતો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:પોલીસ મુજબ, અર્બુદાનગર-1ના રહેવાસીએ જોયું કે લોકડાઉનમાં ખાખરા બનાવવાનું કામ ચાલે છે, તેણે ખાખરા બનાવનારા માલિક સાથે વાત કરી. પરંતુ તેમ છતાં માલિકે કામ બંધ ન કર્યું, આખરે વ્યક્તિએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો અને જાણકારી આપી દીધી કે 8 મહિલાઓ સાથે અર્બુદાનગર-1માં ખાખરા બનાવવાનું કામ ચાલે છે, તેમના ઘરમાંથી ધૂમાડો બહાર નીકળી રહ્યો છે.આ ફરિયાદ તરત જ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફોરવર્ડ કરી દેવામાં આવી. જે બાદ સોલા પોલીસ સ્ટેશનની ટીમ ચાંદલોડિયા જઈને ઘરમાંથી એક વ્યક્તિ અને 8 મહિલાઓને ખાખરા બનાવતા પકડી લીધા. બાદમાં પોલીસે IPC સેક્શન 188 અને એપિડમિક એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી.સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી જાડેજાએ કહ્યું, ‘ઘરમાં રહેતા વ્યક્તિની ઓળખ રાજેશ દલવાડી તરીકે થઈ છે. તે ગૃહ-ઉદ્યોગ ચલાવી રહ્યો હતો. ગૃહ-ઉદ્યોગના માલિક રાજેશ દલવાડી વિરુદ્ધ ફરિયાદ નોંધી લેવામાં આવી છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો