એપશહેર

અમદાવાદઃ યુવાન દીકરાને બચાવવા જતા આધેડ પિતાનું થયું મોત

Mitesh Purohit | TNN 17 Jan 2020, 9:55 am
અમદાવાદઃ 45 વર્ષના આધેડનું અમદાવાદના ગોમતિપુર વિસ્તારમાં પાંચ વ્યક્તિઓ દ્વારા માર મારવાના કારણે મોત નીપજ્યું છે. અહેવાલ મુજબ બુધવારે બનેલી આ ઘટનામાં પાંચેય આરોપીઓ તેના પુત્ર સાથે બબાલ કરી રહ્યા હતા. જે જોઈને મામલો શાંત પાડવા આડેધ વચ્ચે પડ્યા હતા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:મૃતક કૌશિક ચૌહાણ ગોમતિપુરમાં આવેલ અબુ કસાઈની ચોલમાં રહે છે. બુધવારે રાત્રે મૃતકના દીકરા અંકિતને તેના પિતરાઈ માનવનો ફોન આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે સુમિત પરમાર, દિપક પરમાર, નિરવ પરમાર, મેહુલ પરમાર અને ધવલ પરમાર આ લોકો તેની સાથે ઝગડો કરી રહ્યા છે.આ સાંભળીને અંકિત, તેના પિતા કૌશિક અને માનવના પિતા તરુણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા તો જોયું કે પાંચેય આરોપી મળીને માનવને માર મારી રહ્યા હતા. જ્યારે તરુણ અને અંકિત આ ઝગડો શાંત કરવા માટે વચ્ચે પડ્યા તો આરોપીઓએ અંકિત પર હુમલો કરી દીધો હતો.આ દરમિયાન અંકિતના પિતા કૌશિક પણ વચ્ચે પડ્યા હતા અને આરોપીએ તેમના પર પણ હુમલો કર્યો હતો. તેવામાં એક આરોપીએ તિક્ષ્ણ છરી જેવું હથિયાર કાઢી ઉગામતા અંકિતને બચાવવા જતા અંકિતના પિતા કૌશિકને છાતીના ભાગે ઘા લાગી ગયો હતો અને તેઓ તરત જ બેશુદ્ધ થઈ ગયા હતા. જે બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.Video: શાસ્ત્રીય નૃત્ય દ્વારા ભગવાન શંકરની અનોખી પૂજા

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો