એપશહેર

પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ, ગુસ્સે ભરાયેલા પતિએ હાથમાં કૂહાડી લઈ મચાવ્યું તાંડવ

ગાઝિયાબાદમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પર આરોપ હતો કે તેણે પોતાની પત્નીના પ્રેમીના પિતાની હત્યા કરી છે. તેની પત્ની થોડા દિવસો પહેલા મૃતકના દીકરા સાથે ફરાર થઈ ગઈ હતી. શુક્રવારે સવારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આટલુ જ નહીં, જે કૂહાડીથી હત્યા કરવામાં આવી હતી તે પણ મળી આવી છે.

Edited byZakiya Vaniya | TNN 31 Dec 2022, 4:01 pm
ગાઝિયાબાદ- શુક્રવારની સવારે પોલીસે એક યુવકની હત્યાના કેસમાં ધરપકડ કરી છે. આરોપીએ પત્નીના પ્રેમીના પિતાની હત્યા કરી હતી. આરોપીની પત્ની આ અઠવાડિયાની શરુઆતમાં જ ફરાર થઈ ગઈ હતી. મૃતકની ઓળખ 60 વર્ષીય માંગેરામ તરીકે થઈ છે. તે કરિયાણાની દુકાન ચલાવતા હતા. ધારદાર વસ્તુથી તેમના ગળા પર માર મારવામાં આવ્યો હતો અને ખૂબ લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયુ હતું. માનવામાં આવી રહ્યું છે કે કૂહાડીથી હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે.
I am Gujarat murder
યુવકે પત્નીના પ્રેમીના પિતાની હત્યા કરી.


પોલીસનું કહેવું છે કે, મંગેરામનો 25 વર્ષીય દીકરો આરોપીની પત્ની સાથે ભાગી ગયો હતો. આ કારણે લોનીના ન્યુ વિકાસ નગરમાં રહેતા બે પરિવારો વચ્ચે લડાઈ થઈ હતી. મંગેરામના પત્ની મુન્નીએ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી, જેના આધારે 27 વર્ષીય સુનિલની ધરપકડ કરવામાં આવી છે. સુનિલ વ્યવસાયે સુથાર છે. મુન્નીએ પોલીસને જણાવ્યું કે, શુક્રવારના રોજ સવારે જ્યારે તે ઉઠ્યા ત્યારે જોયું કે તેમના પતિ મંગેરામ લોહીથી લથપથ સ્થિતિમાં પડ્યા હતા.

તુનિષા શર્મા આપઘાત કેસ: શીઝાન ખાનની સિક્રેટ ગર્લફ્રેન્ડ અંગે તેના વકીલે શું કહ્યું?
મુન્નીએ સુનિલને જોયો નહોતો પરંતુ તેને શંકા હતી. મુન્ની જણાવે છે કે, ગુરુવારે રાત્રે સુનિલે અમને ઘણાં ફોન કર્યા હતા અને પોતાની પત્ની વિશે પૂછ્યુ હતું. અમને નહોતી ખબર કે તેની પત્ની ક્યાં છે. લોનીના ACP રજનીશ કુમાર ઉપાધ્યાયે આ બાબતે વાત કરતા જણાવ્યું કે, અમને સવારે સાડા સાત વાગ્યે ઘટનાની જાણ કરવામાં આવી. અમને જાણવા મળ્યું કે થોડા દિવસો પહેલા મંગેરામ અને મુન્નીનો દીકરો કપિલ સુનિલની પત્ની સાથે ભાગી ગયો હતો. સુનિલની પત્નીની ઉંમર 26 વર્ષ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, લોનિ વિસ્તારથી જ સુનિલની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન સુનિલે પોલીસને જણાવ્યું કે રાતના લગભગ એક વાગ્યે તેણે મંગેરામની હત્યા કરી હતી. તેણે મંગેરામ પર કુહાડીથી હુમલો કર્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે સુનિલની પત્ની કપિલ સાથે ભાગી ગઈ હતી. એક મહિના પહેલા ફણ તેઓ ફરાર થઈ ગયા હતા અને થોડા દિવસો પછી પાછા આવ્યા હતા.

IPCના સેક્શન 302 અંતર્ગત સુનિલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, જે કૂહાડીથી હત્યા કરવામાં આવી હતી તે મળી ગઈ છે.

Read Next Story