એપશહેર

Nikki Murder Case: નિક્કીની હત્યા અને લાશ ઠેકાણે પાડ્યા બાદ સાહિલને મળ્યા હતા દોસ્ત-કઝિન, ચેન્જ કરાવ્યા હતા કપડાં

સાહિલે પોતાની લિવ ઈન પાર્ટનર નિક્કી યાદવની હત્યા કરીને લાશને ફ્રિજમાં સંતાડી દીધી હતી. પોલીસ પૂછપરછમાં દિવસે ને દિવસે નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હત્યા કર્યા બાદ સાહિલ તેના દોસ્તો અને કઝિનને મળ્યો હતો. જેઓ સાહિલ માટે કપડાં લઈને આવ્યા હતા. એ પછી સાહિલે પોતાના કપડાં ચેન્જ કર્યા હતા. સાહિલના પિતા પણ હત્યાની વાત જાણતા હતા.

Curated byમનીષ કાપડિયા | I am Gujarat 21 Feb 2023, 10:38 am

હાઈલાઈટ્સ:

  • હત્યા પછી સાહિલ દોસ્તો-કઝિનને મળવા ગયો હતો
  • દોસ્તો-કઝિને તેના કપડાં ચેન્જ કરાવ્યા હતા
  • સાહિલના પિતા પણ હત્યાની વાત જાણતા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat delhi nikki yadav murder case
નિક્કીની હત્યા કર્યા બાદ સાહિલ તેના દોસ્તો-કઝિનને મળ્યો હતો.
નવી દિલ્હીઃ દિલ્હીના નિક્કી યાદવ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી સાહિલે નિક્કીની હત્યા કર્યા બાદ દોસ્તો અને કઝિનને પશ્ચિમ વિહારમાં મળ્યો હતો. આ લોકો સાહિલ માટે કપડાં લઈને આવ્યા હતા. સાહિલે નિક્કીની લાશને ઢાબામાં એક ફ્રિજમાં સંતાડ્યા બાદ કપડાં બદલી નાખ્યા હતા. સાહિલની સાથે દોસ્તો અને કઝિન પણ આ મામલે આરોપી બની ગયા છે. પોલીસનું કહેવું છે કે, આ મામલે તપાસ ચાલી રહી છે. જો કોઈની ભૂમિકા સામે આવશે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોનો દાવો છે કે સાહિલના પિતાને નક્કીની હત્યાની જાણકારી હતી અને તેણે સાહિલની મદદ કરી હતી. એટલું જ નહીં સાહિલના પિતા વીરેન્દ્રને આ મામલે પોતાની ભૂમિકા સ્વીકારવાાં કોઈ મુશ્કેલી પડી નહોતી. પોલીસ પૂછપરછમાં વીરેન્દ્રએ જણાવ્યું કે, તે કોઈ પણ ભોગે નિક્કીથી છૂટકારો મેળવવા માગતો હતો.
Nikki Murder Case: નિક્કીને ચાલુ કારમાંથી બહાર ફેંકવા માગતો હતો સાહિલ, આફતાબની જેમ હત્યાને આપ્યો અંજામ
10 ફેબ્રુઆરીની રાત્રે 1 વાગે નિક્કીના ઘરે પહોંચ્યો હતો સાહિલ
પોલીસના જણાવ્યા મુજબ, સાહિલ સગાઈ બાદ 9-10 ફેબ્રુઆરીની રાત્રે એક વાગે નિક્કીના ઘરે પહોંચ્યો ગહતો. સવારે 6 વાગે નિક્કીના ઘરમામંથી બહાર નીકળ્યો હતો. પૂછપરછ દરમિયાન સાહિલે એ રસ્તાનો ખુલાસો કર્યો કે જેનો ઉપયોગ તેણે 10 ફેબ્રુઆરીના રોજ કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજથી સાહિલના નિવેદનની પુષ્ટિ પણ કરી હતી. સાહિલ નિઝામુદ્દીન, આનંદ વિહાર, નિગમબોધ ઘાટ પહોંચ્યો હતો. જ્યાં તેણે નિક્કીનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. એ પછી અહીંથી તે મિત્રાંવ ગામના ઢાબા પર પહોંચ્યો હતો.
Nikki Murder case: નિક્કી યાદવની હત્યાને રોડ એક્સીડન્ટમાં ખપાવવાની હતી યોજના, થયા ચોંકાવનારા ખુલાસા
ચાલુ કારે ધક્કો મારવાનો હતો પ્લાન
પોલીસના જણાવ્યા મુજબ, સાહિલના લગ્ન નક્કી થયા બાદ તે નિક્કીથી છૂટકારો મેળાવવા માગતા હતો અને દબાણ પણ કરી રહ્યો હતો. સગાઈ બાદ જ્યારે નિક્કીએ સાહિલને વેન્યૂ પર પહોંચીને પોલ ખોલવાની ધમકી આપી તો વીરેન્દ્ર સહિત તમામ આરોપીઓએ સાહિલના લગ્ન પહેલાં નિક્કીથી છૂટકારો મેળવવાનો પ્લાન બનાવ્યો. પ્લાન મુજબ, સાહિલે નિક્કીને ટૂર પર લઈ જવાની હતી. સાહિલને પણ એવું લાગતું હતું કે, નિક્કીને ટૂર પર લઈ જઈને તે તેને મનાવી લેશે અને જ્યાં પણ રસ્તામાં તક મળશે ત્યારે નિક્કીને ચાલુ કારમાંથી ધક્કો મારીને બહાર ફેંકી દેશે. આ ઘટનાને એક્સીડન્ટમાં ખપાવી દેવાની તેની યોજના હતી. પરંતુ તે સફળ રહ્યો નહીં. એટલે કારમાં જ નિક્કીનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી.
Latest Crime News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story