એપશહેર

Nikki Yadav Murder Case: પતિ-પત્નીની જેમ રહેતા હતા સાથે, સાહિલનો પરિવાર ઘર ખર્ચ માટે આપતો હતો પૈસા

Nikki Sahil Delhi Murder Case: દિલ્હીમાં શ્રદ્ધાકાંડ જેવો બીજો વધુ એક કાંડ સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. નિક્કી યાદવ હત્યાકાંડમાં વધુ એક ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સાહિલનો પરિવાર બંનેના લગ્ન થયા બાદ ગ્રેટર નોઈડામાં તેમના ઘરે આવતો હતો. આ દરમિયાન સાહિલને ઘર ખર્ચ માટે રુપિયા પણ મળતા હતા. સાહિલે અનેકવાર નિક્કીને મોલમાં શોપિંગ પણ કરાવી હતી.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 20 Feb 2023, 3:00 pm

હાઈલાઈટ્સ:

  • નિક્કી યાદવ હત્યાકાંડમાં સામે આવ્યું મોટું અપડેટ
  • સાહિલનો પરિવાર લગ્ન બાદ આપતો હતો ઘર ખર્ચ
  • નિક્કી અને સાહિલ પતિ-પત્નીને જેમ સાથે રહેતા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Nikki Murder case
સાહિલ અને નિક્કી પતિ-પત્નીને જેમ સાથે રહેતા હતા.
ગ્રેટર નોઈડાઃ દિલ્હીના ચર્ચિત નિક્કી યાદવ હત્યાકાંડમાં પહેલેથી જ આરોપી સાહિલ અને તેના પિતા સહિત લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સાહિલના પરિવારજનો તેના લગ્ન વિશે સારી રીતે જાણતા હતા. લગ્ન બાદ જ્યારે બંને આલ્ફા વન સેક્ટરમાં ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે પરિવારના લોકો તેને મળવા માટે આવતા હતા. નિક્કી પણ મોટાભાગે સાહિલના પરિવાર સાથે ફોન પર વાતચીત કરતી હતી. બીજી તરફ, નિક્કીના લગ્ન ગ્રેટર નોઈડામાં એક આર્ય સમાજ મંદિરમાં થયાની વાત શહેરના લોકોને જાણ થતાં આ ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો.
પરિવાર ઉઠાવતો હતો ઘર ખર્ચ
સૂત્રોના જણાવ્યા મુજબ, સાહિલ જ્યારે ગ્રેટર નોઈડામાં નિક્કીની સાથે રહેતો હતો ત્યારે તેના પરિવારના સભ્યો ઘર ખર્ચ માટે તેને રુપિયા પણ પહોંચાડતા હતા. જ્યારે શરુઆતમાં પરિવારને આ વાતની જાણ નહોતી ત્યારે સાહિલ કોલેજ ફી અને અન્ય ખર્ચાના નામે રુપિયા લઈને ઘર ચલાવતો હતો. નિક્કી યાદવને તેણે જીઆઈપી અને ગ્રેટર નોઈડાના ઈનોક્સ મલમાં અનેકવાર શોપિંગ પણ કરાવી હતી. તો જે કોલેજમાં સાહિલ ભણતો હતો ત્યાંના મેનેજમેન્ટે સાહિલ વિશે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો છે.
જે ગુનો કર્યો જ નહોતો એના માટે વૃદ્ધે 9 વર્ષ સજા ભોગવી, 85 વર્ષની ઉંમરે જેલમુક્ત થયા
વર્ષો સુધી બંને સાથે રહ્યાં
નિક્કી અને સાહિલ ગ્રેટર નોઈડાના આલ્ફા વન સેક્ટરમાં કેટલાંક વર્ષો સુધી સાથે રહ્યાં હતા. બંનેએ ગ્રેટર નોઈડાની અલગ અલગ કોલેજોમાં અભ્યાસ કર્યો હતો. 1 ઓક્ટોબર, 2020ના રોજ લોકડાઉન દરમિયાન ડેલ્ટા-1 સ્થિત આર્ય સમાજ મંદિરમાં બંનેએ સાત ફેરા પણ લીધા હતા. આર્ય સમાજ મંદિરના મેનેજમેન્ટ સમિતિએ તેમને સર્ટીફિકેટ પણ આપ્યું હતું. લગ્ન બાદ ફોટો પડાવ્યા અને વિડીયો પણ બનાવ્યો હતો. સૂત્રોનું માનીએ તો, લગ્ન બાદ સાહિલ અને નિક્કી આલ્ફા વન અને ડેલ્ટા વનમાં ભાડાના મકાનમાં પતિ પત્નીની જેમ રહેતા હતા. દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમે ગ્રેટર નોઈડા પહોંચીને આર્ય સમાજ મંદિરના મેનેજરની પૂછપરછ પણ કરી હતી અને તમામ દસ્તાવેજો કબજે કર્યા હતા.
Nikki Murder Case: ‘બીમાર પડું તો આખી રાત મારી સેવા કરતી હતી....’, હવે નિક્કીને યાદ કરીને રડી રહ્યો છે સાહિલ
સાહિલના પરિવારજનોને નહોતો પસંદ આ સંબંધ
સાહિલના ઘરના લોકોને નિક્કી સાથેનો તેનો સંબંધ જરાય ગમતો નહોતો. તેઓ સાહિલના લગ્ન બીજી જગ્યાએ કરાવવા માગતા હતા. એટલા માટે તેઓએ 9 ફેબ્રુઆરીના રોજ સાહિલની સગાઈ અન્ય યુવતી સાથે પણ કરાવી દીધી હતી. પરંતુ આ દરમિયાન નિક્કીને સગાઈ વિશે જાણ થતાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. એ પછી સાહિલ અને નિક્કી કારમાં કાશ્મીરી ગેટ પાસે હાજર હતા. પરંતુ ત્યાં સુધી ઝઘડો ચરમસીમાએ પહોંચી ગયો અને ગુસ્સામાં સાહિલે મોબાઈલના ચાર્જિંગ કેબલથી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. એ પછી સાહિલ નિક્કીની લાશને 40 કિમી દૂર પોતાના મિત્રાંવ ગામમાં લઈ ગયો. એ પછી ઢાબામાં એક ફ્રિજમાં લાશને સંતાડી દીધી હતી. એ પછી ઘરે જઈને બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. એ પછી પોલીસે ઘરે જઈને સાહિલની ધરપકડ કરી હતી.
Latest Crime News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story