એપશહેર

અમદાવાદઃ બે પતિએ સાથે મળી પત્નીઓની હત્યા કરી, 18 વર્ષ બાદ એક પકડાયો

Yogesh Gajjar | TNN 19 May 2019, 9:49 am
I am Gujarat police caught murderer after 18 years
અમદાવાદઃ બે પતિએ સાથે મળી પત્નીઓની હત્યા કરી, 18 વર્ષ બાદ એક પકડાયો


18 વર્ષ બાદ પકડાયો હત્યારો પતિ

અમદાવાદઃ શહેરમાં વંદના અને શોભા નામની બે મહિલાઓની તેમના પતિ દ્વારા હત્યા કરાયાના 18 વર્ષ બાદ એક હત્યારો પતિ આખરે પોલીસના સકંજામાં આવી ગયો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ મધ્યપ્રદેશના ભવાનપુર ગામમાંથી મુનેશસિંહ ભદોરિયાની ધરપકડ કરી, તેણે 2001માં પોતાની પત્ની વંદનાની હત્યા કરી હતી. આ જ ગામનો અન્ય આરોપી નરેન્દ્રસિંહ ભદોરિયા હજુ ફરાર છે. મુનેશસિંહે પોલીસે જણાવ્યું કે તેની પત્ની વંદના માતા નહોતી બની શકતી અને લગ્ન પહેલા તેના કાકા બિરેન્દ્રસિંહ તેનું શારિરીક શોષણ કરતા હતા. તેના રૂમ પાર્ટનર નરેન્દ્રસિંહે ત્રણ મહિનાથી પ્રેગ્નેટ પત્નીની હત્યા કરી હતી, મુનેશસિંહે પોલીસને આપેલા નિવેદન મુજબ નરેન્દ્રસિંહને તેની પત્નીનું અન્ય પુરુષ સાથે અફેર હોવાની શંકા હતી.હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બાતમીના આધારે પોલીસે કરી ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચના ડિસીપી દીપન ભદ્રાને કહ્યું કે ‘બાતમીના આધારે આરોપીની ધરપકડ કરાઈ હતી. તેમણે કહ્યું, ડી.બી બારડના નેતૃત્વમાં મારી ટીમ ભવાનપુરમાં 10 દિવસ સુધી રોકાઈ અને આરોપીને પકડવા માટે દરેક ઘર ખૂંદી વળ્યા હતા.’ માનેશસિંહ હીરા ઘસવાનું કામ કરતો અને 1996માં વંદના સાથે લગ્ન કરીને અમદાવાદના નરોડામાં સ્થાયી થયો હતો.

પત્ની સંતાનને જન્મ ન આપી શકતા કરી હત્યા

ક્રાઈમબ્રાન્ચના એસીપી ભગીરથસિંહ ગોહિલે કહ્યું, ‘પૂછપરછ દરમિયાન માનેશસિંહે જણાવ્યું કે વંદના તેના પિતાના મૃત્યુ બાદ કાકા કેવી રીતે તેની સાથે રેપ કરતા તે કહ્યા કરતી.’ વંદનાએ વિચાર્યું હતું કે તેના પતિને તેના પ્રત્યે સહાનુભૂતિ થશે, પરંતુ લગ્નના પાંચ વર્ષ બાદ પણ વંદના બાળકની માતા ન બની શકતા માનેશસિંહ વધારે ગુસ્સે થઈ રહ્યો હતો. માનેશસિંહની કબૂલ્યા મુજબ, આ દરમિયાન જ અન્ય ગુનો થયો. ભવાનપુરનો જ નરેન્દ્રસિંહ પોતાની પત્ની શોભા અને બે બાળકો સાથે શહેરમાં આવ્યો હતો. દંપતિ નરોડામાં બે બેડરૂમના ફ્લેટમાં સાથે રહેતું હતું. એક દિવસે બંને આરોપીઓએ એકબીજાને પોતાની સ્ટોરી જણાવી અને બંનેએ પોતાની પત્નીઓનું ખૂન કરવાનું નક્કી કર્યું.

બંને આરોપીએ પત્નીઓનું ગળું દબાવી હત્યા કરી

દિવાળીના એક દિવસ બાદ મુનેશસિંહે વંદનાનું ગળું દબાવી દીધું. પરંતુ તેના રડવાના અવાજથી શોભા જાગી ગઈ. સૂત્રો મુજબ નરેન્દ્રસિંહે પણ તરત પોતાના છોકરાઓની સામે જ શોભાનું ગળું દબાવીને મારી નાખી. બાદમાં મુનેશસિંહ પોતાની પત્નીના મૃતદેહને ઢસડીને શોભાના રૂમમાં લાવ્યો અને મૂકીના ભાગી ગયો. ક્રાઈમબ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે નરેન્દ્રસિંહ પોતાના ગામે ક્યારેય પાછો નથી આવ્યો જ્યારે મુનેશસિંહે ગામમાં આવીને ફરીથી લગ્ન કર્યા. તેને બા બાળકો હતા. જ્યારે પત્નીને તેના હત્યારા હોવાની જાણ થઈ તો તે ચોંકી ઉઠી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો