એપશહેર

અમદાવાદ એરપોર્ટ પર DCP ને લાફો મારનાર PSI સસ્પેન્ડ

I am Gujarat 18 Sep 2016, 2:33 pm
પીએમ મોદી શુક્રવારે રાત્રે નવ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવવાના હતાં. આ સમયે PSI આર.એફ.ચૌધરીએ DCP ગઢવીને સણસળતો લાફો મારી દીધો હતો. શિસ્તબધ્દ ગણાતા પોલીસ ખાતામાં PSI આર.એફ. ચૌધરીને ના આ પ્રકારના વર્તનને કારણે શનિવારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
I am Gujarat psi suspended bcoz slaps dcp just before arrival of modi
અમદાવાદ એરપોર્ટ પર DCP ને લાફો મારનાર PSI સસ્પેન્ડ


ઘટના એવી બની હતી કે શુક્રવારે પીએમ મોદી આવવાના હોવાથી એરપોર્ટ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. લગભગ શહેરના સેક્ટર-2ના સંયુક્ત પોલીસ કમિશનર સહિતની પોલીસ એરપોર્ટ પર ખડકી દેવાઈ હતી. આ ઉપરાંત શહેર પોલીસ કમિશન શિવાનંદ ઝાથી માંડીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર જે.કે. ભટ્ટ અને આખી ક્રાઈમ બ્રાંચ એરપોર્ટ પર તૈનાત હતી. દરમિયાન, સાંજે 7 વાગ્યાના અરસામાં એરપોર્ટ ગ્રાઉન્ડ ખાતે ઝોન-6 ડીસીપીના રીડર પીએસઆઈ તરીકે ફરજ બજાવતા આર.એફ. ચૌધરીએ ઝોન 4ના ડીસીપી ગઢવીને લાફો મારી દીધો હતો.એરપોર્ટમાં તહેનાત પોલીસ સૂત્રોનું કહેવું છે કે, બ્રિફિંગ દરમિયાન પી.એસ.આઈ.નું ધ્યાને બીજે હોય ડીસીપીએ તેમને લાકડીનો ઠુંસો મારતા પી.એસ.આઈ.એ લાફો ચોડ્યો હતો.

કેમ PSIએ DCPને લાફો મારેલો? આ હતું કારણ? અહીં ક્લિક કરી જાણો

જોકે બીજી તરફ વિવાદીત બનેલી આ ઘટનાની તપાસ JCP જે.કે.ભટ્ટને તપાસ સોંપવામાં આવી છે અને તેઓ એક દિવસમાં તપાસ કરી નિવેદનો સાથેનો રિપોર્ટ રજૂ કરશે. શનિવારે પીએસઆઇ ચૌધરીએ એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો