એપશહેર

તબિયત ખરાબ છે, મોઢામાંથી લોહી આવ્યું.. આવું કહીને પતિએ પત્ની બોલાવીને હત્યા કરી નાખી

પરિણીતા સાસરીમાં થયેલી તકરાર બાદ છ મહિનાથી પોતાના પિતાના ઘરે રહેતી હતી અને પતિના ફોને તેને ડરાવી દીધી હતી

I am Gujarat 12 Aug 2021, 3:40 pm

હાઈલાઈટ્સ:

  • પતિ સાથે ઝઘડો થયા બાદ પત્ની બાળકોને લઈને પિયર જતી રહી હતી
  • ઘર તૂટતું બચાવવા પરિણીતા પોતાના બાળકો સાથે પિયરમાં રહેતી હતી
  • પતિએ પત્નીને ફોન કરીને કહ્યું, મોઢામાંથી લોહી આવે છે તું ઘરે આવી જા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat the husband called her wife and said i am not well come fast then happened worst
તબિયત ખરાબ છે, મોઢામાંથી લોહી આવ્યું.. આવું કહીને પતિએ પત્ની બોલાવીને હત્યા કરી નાખી
આરાઃ બિહારના ભોજપુરમાં મગજના ફરેલા પતિએ તેની પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે. જેમાં પતિએ પોતાના બે માસૂમ બાળકોની સામે જ પત્નીની હત્યા કરી નાખી છે. આ ઘટનામાં પોલીસ દ્વારા વિગતે તપાસ કરવામાં આવી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)
ધોબહાં ઓપી વિસ્તારમાં આવેલા દેવડી ગામમાં બનેલી ઘટનામાં પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની પોતાનો પરિવાર તૂટે નહીં તે માટે પોતાના પિયર ચાલી ગઈ હતી. મુન્ની ખાતૂન અહીં પોતાના બે બાળકો સાથે છ મહિનાથી રહેતી હતી. મહિલાના પિતાને પણ તેની દીકરી બાળકો સાથે પોતાના ઘરે રહેતી હતી તેનાથી કોઈ વાંધો નહોતો. પરંતુ બીજી તરફ તેના પતિ અખ્તર અંસારીને ચેન નહોતો પડી રહ્યો.

બાપ મહિના પહેલા થયેલા દીકરાના લગ્નમાં નહોતો ગયો, ઘરમાં કાંડ થયો
મુન્ની નામની પરિણીતા પોતાના પતિ અખ્તરનો ગુસ્સો શાંત થાય અને માહોલ પાછો બરાબર બને તેની રાહ જોઈને પિતાના ઘરે બાળકોને લઈને રહેતી હતી. બીજી તરફ તેના અખ્તરને તેની પત્ની અલગ રહે તેના કરતા તેનાથી છૂટકારો મળી જાય તેવો વિચાર કરીને ખૂની ખેલ ખેલી નાખ્યો.

અખ્તરને પત્ની મુન્નીને ફોન કરીને કહ્યું કે, મારી તબિયત સારી નથી.. મોઢામાંથી લોહી નીકળે છે.. તું જલદી આવી જા..

ભલે મુન્ની પતિથી અલગ રહેતી હતી પરંતુ તેને ખબર હતી કે તેના બાળકોનું સારું ભવિષ્ય તેના પતિના હાથમાં છે. આવામાં પતિના તબિયત ખરાબ હોવાના ફોન બાદ તે તાત્કાલિક પોતાના સાસરે જવા માટે રવાના થઈ હતી. તેની સાથે બે દીકરીઓ પણ હતી. મૃતક મુન્નીના પિતા મૈનુદ્દીન ઉર્ફ ડોમને જણાવ્યું કે, મારી દીકરી 6 મહિનાથી મારા ઘરે તેની બે દીકરીઓ સાથે રહેતી હતી. જમાઈનો સોમવારે ફોન આવ્યા બાદ દીકરી તે બે બાળકોને લઈને રવાના થઈ હતી. દીકરી બાળકોને લઈને જેવી ઘરમાં ઘૂસી કે જમાઈએ તેને ચાકુ ખોસી દીધું હતું. જેમાં મુન્નીનું મોત થઈ ગયું.

છત્રાલમાં દુકાનના છાપરેથી મોબાઈલ ચોરી માટે ઉતરવાની કોશિશમાં શખ્સનું ગળું ફસાતા મોત
આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અખ્તરની ધરપકડ કરી લીધી છે. આ ઘટના બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને બાળકો મા-બાપ વગરના થઈ ગયા છે. એક તરફ માનું મોત થઈ ગયું છે તો બીજી તરફ બાપ જેલના સળિયા પાછળ છે. માસૂમ બાળકોને પણ એ નથી સમાજાઈ રહ્યું કે તેમના પિતાએ મા સાથે શા માટે આવો વ્યવહાર કર્યો.


મુન્નીના પિતાએ જણાવ્યું છે કે તેમના જમાઈએ દીકરીને જૂઠ્ઠું બોલીને સાસરે બોલાવી અને મોતને ઘાટ ઉતારી દીધી. અખ્તરે તબિયત ખરાબ હોવાની અને મોઢામાંથી લોહી નીકળી રહ્યું હોવાની વાત કરી હતી. અખ્તરે પોતાના બાળકોની હાજરીમાં જ જેવી પત્ની પિયરથી આવી કે તેના પેટમાં ચાકુ ખોસી દીધું હતું. મુન્નીના પિતાએ તેને બચાવવાની કોશિશ કરી પરંતુ તેને બચાવી ના શકાઈ. પોલીસ આ કેસમાં વધારે તપાસ કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો