એપશહેર

દંડ ભરવાનું કહેતા બે ભાઈઓએ પોલીસકર્મીઓને હત્યાની ધમકી આપી ને મારામારી કરી

શિવાની જોષી | TNN 7 Oct 2019, 8:51 am
અમદાવાદ: નવા ટ્રાફિકના નિયમોનું પાલન 31 ઓક્ટોબરથી થવાનું છે તેમ છતાં પોલીસ અને વાહનચાલકો વચ્ચે મારામારીની ઘટના વધી છે. શનિવારે સાંજે નરોડા વિસ્તારમાં બે ભાઈઓ અંકિત ચૌધરી (22 વર્ષ) અને અમિત ચૌધરી (25 વર્ષ)એ વાહન ચેકિંગ કરતા પોલીસકર્મીઓ સાથે કથિત રીતે મારામારી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિલોડામાં રહેતા બંને ભાઈઓની પોલીસે ધરપકડ કરી છે અને કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોPSI કે. જી. કામડિયાએ નોંધેલી FIR પ્રમાણે, ઓન ડ્યુટી પોલીસકર્મીઓ નેશનલ હેન્ડલુમ તરફ જઈ રહ્યા હતા ત્યારે બંને ભાઈઓ બેઠક ત્રણ રસ્તા તરફથી રોંગ સાઈડ પર આવ્યા હતા. તેમણે ડિજિલોકરમાંથી પોતાના ડ્રાઈવિંગ લાઇસન્સ બતાવ્યા પરંતુ તેમની પાસે બાઈકના કાગળિયા નહોતા. ત્યારે બંને બાઈક લૉક કરીને ત્યાંથી ચાલવા લાગ્યા હતા.જ્યારે તેમને દંડ ભરવાનું કહેવામાં આવ્યું ત્યારે કથિત રીતે અંકિતે વાત ના માની. ફરિયાદ પ્રમાણે, “ભાઈઓએ પોલીસને ધમકી આપી કે તેમનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે અને તેઓ તેમની હત્યા કરાવી નાખશે.” ટૂંક સમયમાં જ પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો અને તેમણે બંને ભાઈઓને પકડી લીધા. તેમની સામે ફરજમાં અવરોધ નાખવાનો તેમજ ઓન ડ્યુટી પોલીસકર્મીને ફટકારવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.આરેમાં લગાવાયેલી 144 કલમની દૂર કરાઈ
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story