એપશહેર

પીડિતાએ IAS અધિકારી દહિયા વિરુદ્ધ પેટરનિટી ટેસ્ટની પોતાની અપીલ પરત ખેંચી

Mitesh Purohit | TNN 16 Oct 2019, 8:39 am
અમદાવાદઃ દિલ્હી સ્થિત મહિલા લીનુ સિંહે સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયા વિરુદ્ધ પહેલા લગ્નની હયાતીમાં છેતરીને બીજા લગ્ન કરવાના આરોપ અંતર્ગત દહિયા સાથેના સંબંધોથી થયેલ સંતાનની પેટર્નિટી ટેસ્ટ માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જોકે સોમવારે તેણે આ અરજી પાછી ખેંચી લીધી હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ અરજીની સુનાવણી દરમિયાન જ ગુજરાત હાઈકોર્ટે પોતાના જ્યુરિડિક્શન અંગે પણ સવાલ કર્યા હતા કે મહિલાએ ફરિયાદ દિલ્હીમાં નોંધાવેલ હોવાથી કઈ રીતે ગુજરાત હાઈકોર્ટ આ અંગે કોઈ કેસ ચલાવી શકે. તેમણે સૂચન કર્યું હતું કે આ કેસમાં સુનાવણી માટે કોઈ યોગ્ય ફોરમ હોય તો તે દિલ્હી સેશન કોર્ટ છે. જેના કારણે મહિલાના વકીલ પ્રિતેશ ખમ્ભોજીયાએ કોર્ટમાંથી પોતાના ક્લાયન્ટની અરજી પરત ખેચતા કોર્ટને કારણ દર્શાવ્યું હતું કે તેઓ આ અપીલ યોગ્ય ફોરમ પાસે રજૂ કરવા માટે પરત ખેચી રહ્યા છે. જેથી જસ્ટિસ એસ.એચ. વોરાએ એડમિશન સ્ટેજ પર રહેલી આ અપીલને તાત્કાલીક અસરથી જ ડિસ્પોઝ કરી દીધી હતી. મહિલાએ DNA ટેસ્ટ કરાવવાની માગણી સાથે અપીલ કરી હતી કે આ ટેસ્ટથી સાબિત થશે કે દહિયા જ તેના સંતાનના પિતા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો