એપશહેર

11 વર્ષ નાના પ્રેમીને પામવા પરિણીતાએ પતિને મારી નાખ્યો, પછી મોટો ભાંડો ફૂટ્યો

પ્રેમીને વચન આપ્યું હતું કે તે પતિ માટે આ વર્ષે કરવા ચોથનું વ્રત નહીં કરે અને મોટું પગલું ભરી નાખ્યું

I am Gujarat 26 Oct 2021, 2:45 pm

હાઈલાઈટ્સ:

  • પ્રેમીને પામવા માટે પરિણીતાએ તેની સાથે મળીને પતિને પતાવી દીધો
  • પ્રેમીને પરિણીતાએ પતિ માટે કરવા ચોથ નહીં કરવાનું વચન આપ્યું હતું
  • પતિને પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેણે ચાલ ચાલી હતી
  • પોલીસે લાશ મળ્યા બાદ કરેલી તપાસમાં પરિણીતાએ ભાંડો ફોડ્યો છે

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat women killed husband to live with lover in gwalior case solved after karwa chauth
11 વર્ષ નાના પ્રેમીને પામવા પરિણીતાએ પતિને મારી નાખ્યો, પછી મોટો ભાંડો ફૂટ્યો
સાત જન્મો સુધી જે વ્યક્તિ સાથે રહેવાનું વચન લગ્ન સમયે લીધું હતું. જોકે, લગ્ન પછી પોતાનાથી નાની ઉંમરના વ્યક્તિના પ્રેમમાં પડેલી પરિણીતાએ પ્રેમીને વચન આપી દીધું કે તે કંઈક એવું કરશે કે જેના કારણે તેણે પતિ માટે કરવા ચોથનું વ્રત ના રાખવું પડે. આ પછી મહિલાએ પોતાના જ પ્રેમીની સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોતાના પતિની હત્યા માટે પરિણીતાએ એવો પ્લાન બનાવ્યો હતો કે તે પકડાય નહીં પરંતુ તપાસ થતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. (તસવીરમાં મૃતકની પત્ની અને તેનો પ્રેમી)
આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે કે જ્યાં પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી છે. 6 સપ્ટેમ્બરે બનેલી ઘટનાના 20 દિવસ બાદ પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે મૃતક વ્યક્તિ પોષણસિંહ રાવત છે જે દેવરી ગામનો રહેવાસી હતો, મૃતકની પત્ની બસંતી દેવી રાવતે જ તેની હત્યા કરીને ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસને જ્યારે લાશ મળી ત્યારે પત્ની પર જ શંકા જતા પૂછપરછ શરુ કરી હતી, જેમાં મોટો ભાંડો ફૂટ્યો હતો.

ગાંધીનગરમાં અપહરણ બાદ મળેલી ₹10 લાખની ખંડણીમાંથી આરોપીઓએ કાર ખરીદી
રિપોર્ટ્સ મુજબ પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું કે બસંતીના પોષણસિંહ સાથે 11 વર્ષ પહેલા લગ્ન થયા હતા, જેમના બે બાળકો પણ છે. બસંતી પોતાના પતિની દારુ પીવાની આદતથી કંટાળી ગઈ હતી, કારણ કે પતિ દારુના નશામાં તેની સાથે મારામારી કરતો હતો. આવામાં બસંતી તેનાથી 11 વર્ષ નાના યુવક મનીષ રાવતના પ્રેમમાં પડી હતી. બન્ને એક બીજાના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેમણે પોષણસિંહની હત્યાનો પ્લાન બનાવી નાખ્યો હતો.

પરિણીતા પ્રેમી મનીષના પ્રેમમાં એટલી પાગલ હતી કે તેણે મનીષને વચન આપ્યું હતું કે તે પતિ માટે આ વખતે કરવા ચોથનું વ્રત નહીં રાખે. આ પછી બન્નેએ પોષણસિંહને મારવાનો પ્લાન બનાવ્યો હતો અને પ્લાન પ્રમાણે 4 સપ્ટેમ્બરે પ્રેમી મનીષ બસંતીના ઘરે પહોંચ્યો હતો અને બન્ને બાળકોને કોઈ કામમાં વ્યસ્ત કરી દીધા. જે બાદ મનીષ અને બસંતીએ મળીને પોષણસિંહની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ પછી પરિણીતાનો પ્રેમી લાશને ઠેકાણે પાડવામાં સફળ ના રહ્યો અને તેણે લાશને બીજા દિવસે ઠેકાણે પાડવાનું નક્કી કર્યું.

રસીના કારણે સુરતમાં પિતા-પુત્રનું સાડા ત્રણ વર્ષે સુખદ મિલન થઈ શક્યું
આ દરમિયાન બાળકોને શંકા ના જાય એ માટે તેણે પતિની લાશ પર ચાદર ઓઢાડી દીધી અને તેની બાજુમાં જ સૂઈ ગઈ જેથી બાળકોને શંકા ના પડે. આ પછી 5 સપ્ટેમ્બરે પણ બસંતીએ એવું વર્તન કર્યું કે તેનો પતિ ઘરમાં આરામ કરી રહ્યો હતો. આ પછી રાત્રે પ્રેમીને બોલાવીને પતિની લાશને ઠેકાણે પાડવાનો પ્લાન બનાવ્યો. પ્રેમી તેના મિત્રને લઈને બસંતીના ઘરે પહોંચ્યો અને બન્ને લાશને બાઈક પર એ રીતે બેઠા કે જાણે ત્રણ જણા ક્યાંક જઈ રહ્યા હોય. પછી મનીષે ચાર કિલોમીટર દૂર જઈને પોષણસિંહની લાશને કેનાલમાં ફેંકી દીધી હતી.

લાશ મળ્યા બાદ પોલીસે શરુ કરેલી તપાસમાં બસંતી અને મનીષ બધું પોપટની જેમ બોલવા લાગ્યા અને હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો