એપશહેર

યુવકને ₹40 ઉધાર લેવા પડ્યા ભારે, એવું તો શું થયું કે જીવ આપીને ચૂકવવી પડી કિંમત?

કેટલાંક લોકો જરુર હોય ત્યારે રુપિયા ઉછીના લેતા હોય છે અને એ રુપિયા માટે વ્યાજ પણ ચૂકવતા હોય છે. પણ દિલ્હીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જાણીને હચમચી જશો. દિલ્હીના સુલતાપુરી વિસ્તારમાં રહેતા એક યુવકે બદમાશ પાસેથી માત્ર 40 રુપિયા ઉધાર લીધા હતા. જે બાદ બદમાશ તેને હેરાન પરેશાન કરતો હતો. યુવકે તેને 40ના બદલે 100 રુપિયા પણ આપ્યા હતા.

Curated byમનીષ કાપડિયા | I am Gujarat 27 Mar 2023, 8:44 am

હાઈલાઈટ્સ:

  • યુવકને રુપિયા 40 ઉછીના લેવા પડ્યા ભારે
  • બદમાશે વારંવાર હેરાન કરતા ચૂકવ્યા 100 રુપિયા
  • બદમાશના ટોર્ચરથી યુવક ડરી ગયો હતો અને તણાવમાં હતો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat youth suicide for 40 rs
યુવકે એક બદમાશ પાસેથી માત્ર 40 રુપિયા ઉછીના લીધા હતા અને તેને આ ભારે પડી ગયું.
Delhi Crime News: ક્યારેક જીવનમાં જરુર પડ્યા બાદ કેટલાંક લોકો રુપિયા ઉધાર લેતા હોય છે અને એના પેટે વ્યાજ પણ ચૂકવતા હોય છે. તેમ છતા પણ રુપિયા ઉધાર આપનારા દ્વારા વારંવાર ટોર્ચર કરીને વધુ રુપિયાની માંગણી કરવામાં આવતી હોય છે. આવા ટોર્ચર બાદ કેટલાંક લોકો પોતાનો જીવ પણ આપી દેતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો દિલ્હીમાંથી સામે આવ્યો છે. દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં રહેતા એક યુવકે માત્ર 40 રુપિયાના કારણે આત્મહત્યા કરી લીધી હતી. મૃતક જતીનની ઉંમર 26 વર્ષ હતી અને ત્રણ વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા. તે સોફા બનાવવાનું કામ કરતો હતો અને જરુર પડતા તેણે બદમાશ પાસેથી માત્ર રુપિયા 40 ઉધાર લીધા હતા. આ 40 રુપિયાની વસૂલના ચક્કરમાં યુવકે આપઘાત કરી લીધો હતો. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
40 રુપિયા લીધા હતા ઉધાર
આ બનાવની વિગતો એવી છે કે, મૃતક જતીન પોતાના ગમાં માતા-પિતા, પત્ની, દાદી અને બે નાના ભાઈ બહેન સાથે રહેતો હતો. તેને રુપિયાની જરુર હોવાથી બદમાશ પાસેથી માત્ર 40 રુપિયા ઉધાર લીધા હતા. રુપિયા ઉછીના લીધા બાદ બદમાશ દિનેશે માત્ર 40 રુપિયા માટે જતીનને વારંવાર હેરાન કર્યો હતો. જે બાદ દાદીના કહેવાથી જતીને દિનેશને રુપિયા 100 પણ આપી દીધા હતા. તેમ છતાં પણ બદમાશ દિનેશ તેને રુપિયા માટે હેરાન પરેશાન કરતો હતો. ગયા ગુરુવારે આરોપી દિનેશ જતીનને માર પણ માર્યો હતો. પાર્કમાં મહિલા મિત્ર સાથે ફરી રહેલો યુવક નજીકમાં બનેલા કૂવામાં પડતા મોતને ભેટ્યો
ડર અને તણાવમાં આપઘાત
બાદમાં જતીને આ વાતની જાણ તેના પિતાને કરી હતી અને પછી પોલીસમાં દિનેશ વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. પીડિતની ફરિયાદ બાદ પોલીસે આરોપીને પકડ્યો હતો, પરંતુ થોડી વાર પછી આરોપીને છોડી મૂક્યો હતો. આ વાતથી જતીન ડરી ગયો હતો અને તે તણાવમાં હતો. જે બાદ તેણે ઘરના એક રુમમાં આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થયા બાદ પરિવારમાં પણ માતમ છવાયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકનો મૃતદેહ કબજે કર્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
યુવકના બેંક એકાઉન્ટમાં ભૂલથી આવી ગયા ₹14 હજાર, પરત કરવાના ચક્કરમાં ખાતુ ખાલી થઈ ગયુ!
પોલીસ સ્ટેશન બહાર ધરણાં
આ ઘટના બાદ મૃતક જતીનના પરિવારજનોએ પોલીસ સ્ટેશન બહાર ધરણાં પણ શરુ કરી દીધા હતા. પરિવારજનોનું કહેવું છે કે, જો પોલીસ દ્વારા દિનેશ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે જતીન જીવિત હોત. દિનેશ વિરુદ્ધ બે વાર ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતા પોલીસે દિનેશને પકડીને તરત છોડી મૂક્યો હતો. જેના કારણે મૃતક તણાવમાં હતો. ત્યારે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Crime News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story