એપશહેર

સ્કૂલો ધોરણ 9થી 12માં ક્યાં સુધી એડમિશન આપી શકશે? બોર્ડે કરી સ્પષ્ટતા

લોકડાઉનને કારણે માઈગ્રેશન થતાં અનેક વાલીઓએ બાળકોની સ્કૂલો બદલાવી

I am Gujarat 24 Sep 2020, 1:30 pm
અમદાવાદ: કોરોનાને કારણે સ્કૂલોમાં હજુ સુધી શિક્ષણકાર્ય શરુ નથી થઈ શક્યું, ત્યારે બોર્ડ દ્વારા ધોરણ 9થી 12માં ક્યાં સુધી એડમિશન આપી શકાશે તે અંગે એક મહત્વની સ્પષ્ટતા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે અનેક લોકો પોતાના વતન ચાલ્યા ગયા છે, અને ત્યાંની સ્કૂલોમાં એડમિશન લેવા માટે તેમણે પ્રક્રિયા શરુ કરી છે.
I am Gujarat school admission
ધોરણ 9થી 12માં સ્કૂલો 30 સપ્ટેમ્બર સુધી એડમિશન આપી શકશે


બોર્ડ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા મુજબ સ્કૂલો ધોરણ 9થી 12માં 30 સપ્ટેમ્બર સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે. લોકડાઉનને કારણે મોટાપાયે લોકોનું માઈગ્રેશન થયું હોવાથી સ્કૂલોમાં એડમિશન કરાવવાના પ્રશ્નો ઉભા થયા હતા. કેટલાક વાલીઓ પોતાના વતનની સ્કૂલોમાં એડમિશન લેવા માગે છે, જ્યારે કેટલાક જે સ્કૂલમાંથી નામ કઢાવી નાખ્યું છે ત્યાં જ ફરી એડમિશન લેવા માગે છે.

જોકે, સ્કૂલો પણ ક્યાં સુધી એડમિશન આપી શકાય તે મામલે સ્પષ્ટ ના હોવાથી પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. જેને ધ્યાનમાં રાખી રાજકોટના બોર્ડના સભ્ય દ્વારા પત્ર લખી આ મામલે સ્પષ્ટતા કરવા માગણી કરાઈ હતી. જેના અનુસંધાને બોર્ડ દ્વારા જણાવાયું હતું કે સ્કૂલો 30 સપ્ટેમ્બર સુધી એડમિશન આપી શકશે.

આ ઉપરાંત, ખાસ કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરીથી 31 ઓક્ટોબર સુધી એડમિશન મળી શકશે. તેમજ, હાલમાં લેવાયેલી ધોરણ 10ની પુરક પરીક્ષામાં પાસ થયેલા સ્ટૂડન્ટ્સને પણ ધોરણ 11માં એડમિશન આપી શકાશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો