એપશહેર

કોરોના મહામારી વચ્ચે આજે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા યોજાઈ

રાજ્યમાં ગુજકેટની પરીક્ષામાં પરીક્ષાર્થીઓની સલામતી માટે કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા જરૂરી તમામ પગલાઓ લેવામાં આવ્યા હતા.

I am Gujarat 24 Aug 2020, 9:00 pm
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (GUJCET) આજે તારીખ 24 ઓગસ્ટ, 2020ના રોજ યોજાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તરફથી જણાવવામાં આવ્યું કે રાજ્યમાં ગુજકેટની પરીક્ષામાં પરીક્ષાર્થીઓની સલામતી માટે કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા જરૂરી તમામ પગલાઓ લેવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલન કરીને પરીક્ષાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
I am Gujarat q8
પ્રતીકાત્મક તસવીર


અહીં નોંધનીય છે કે કુલ 1,27,615 ઉમેદવારો પૈકી 10,112 ઉમેદવારોએ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી નથી. એટલે કે ખરેખરમાં 1,17,503 ઉમેદવારોને ધ્યાનમાં લઈએ તો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા 1,06,161 જેટલા ઉમેદવારોની ગણતરી કરતા તેઓની હાજરી 90.35 ટકા થાય છે.

ગુજકેટ પરીક્ષા સામાન્યરીતે અગાઉના વર્ષોમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની માર્ચની પરીક્ષા પૂર્ણ થયા બાદ અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થાય તે પહેલા યોજવામાં આવતી હતી. જેના કારણે ગુજકેટ પરીક્ષા માટે આવેદન કરેલ મોટાભાગના ઉમેદવારો ગુજકેટની પરીક્ષામાં ઉપસ્થિત રહેતા હતા. કોરોના વાયરસની મહામારીના કારણે ચાલુ વર્ષે ગુજકેટ પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ યોજવામાં આવી છે. જેના પરિણામે માર્ચ-2020ની પરીક્ષામાં 3કે તેથી વધુ વિષયમાં નપાસ થયેલા ઉમેદવારો તે જેમણે ગુજકેટ-2020 માટે આવેદનપત્ર ભર્યું હતું પણ નપાસ હોવાથી ગુજકેટની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા નહીં. જ્યારે બીજી બાજુ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા પછી કેટલાંક વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાશાખામાં પ્રવેશ મેળવ્યો હોવાથી તેઓ ગુજકેટની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા નહોતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો