એપશહેર

શું હવે કોલેજની પરીક્ષાની પદ્ધતિ બદલાઈ જશે?

ઈન્ટરનલના આધારે એસેસમેન્ટ કરવા ઉપરાંત પરીક્ષાનો ગાળો 2 કલાકનો કરવા વિચારણા

I am Gujarat 2 Jun 2020, 3:48 pm
કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે દેશમાં લાગુ લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ તેની અસર થઈ છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખતા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસીએ બદલાવ માટેના કેટલાંક સૂચનો આપ્યા છે. જેમાં વિદ્યાર્થીઓનું માર્કિંગ આંતરિક (ઈન્ટરનલ) મૂલ્યાંકનના આધારે કરવું, પરીક્ષાનો સમયગાળો 3 કલાકથી ઘટાડીને 2 કલાકનો કરવાના સૂચનનો સમાવેશ થાય છે. કેટલીક યુનિવર્સિટીઓ ઓનલાઈન પરીક્ષા મુદ્દે પણ વિચારી રહી છે. જ્યારે કેટલીક યુનિવર્સિટીઓએ એવું પણ જણાવ્યું છે કે આંતરિક (ઈન્ટરનલ) મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીનું પરિણામ નક્કી કરવું જોઈએ નહીં.
I am Gujarat exam


બેંગલુરુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે જણાવ્યું કે જો સ્થિતિ સામાન્ય ના થાય તો ઓનલાઈન પરીક્ષાનું પણ આયોજન થઈ શકે છે. જેમાં મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચનની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય તેમ છે. આ રીતે પરીક્ષાનું આયોજન કરવું સરળ રહેશે.

તો હવે ક્યારે ખુલશે કોલેજ?

આ મહિનાની શરૂઆતમાં જ્યારે એક વેબિનારમાં એક વિદ્યાર્થીએ એચઆરડી મિનિસ્ટરને પૂછ્યું હતું કે હવે કોલેજ ક્યારે ખુલશે તો તેમણે જવાબ આપ્યો હતો કે યુજીસી કેલેન્ડરમાં કોલેજની પરીક્ષા તારીખ 1 જુલાઈથી અને ઓગસ્ટ મહિનામાં નવું સત્ર શરૂ કરવાના સૂચન આપવામાં આવ્યા છે. તેનો મતલબ એ થાય છે કે ઓગસ્ટ મહિનાથી કોલેજ ખુલી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

એચઆરડી મિનિસ્ટરે જણાવ્યું હતું કે કોલેજ લેવલની પરીક્ષા 1 જુલાઈથી થશે અને જુલાઈના અંત સુધીમાં તેના પરિણામ જાહેર કરવાના પ્રયાસ કરવામાં આવશે કે જેથી ઓગસ્ટ મહિનામાં નવું સત્ર શરૂ થઈ શકે. આ સિવાય સરકાર ઓનલાઈન અભ્યાસ અને પરીક્ષાની પદ્ધતિની સંભાવાનો પર પણ વિચાર કરી રહી છે.
Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો