એપશહેર

BJPના ગઢ ગુજરાતમાં ઓવૈસીની AIMIM કોઈ કમાલ દેખાડશે? લોકોનું શું કહેવું છે?

આ સર્વેમાં ગુજરાતની જનતાને પૂછવામાં આવ્યું કે શું અસદુદ્દીન ઓવૈસીનો મુસ્લિમ વૉટરોમાં પ્રભાવ છે તો 31 ટકા લોકોએ હા કહ્યું જ્યારે 69 ટકા લોકોનું માનવું છે કે અસદુદ્દીન ઓવૈસીની ગુજરાતના વૉટરો પર કોઈ અસર નથી. આ સર્વેમાં 1216 લોકોને સવાલ પૂછવામાં આવ્યા. સવાલ પૂછાયો કે અસદુદ્દીન ઓવૈસીની ગુજરાતના વૉટરો પર અસર છે?

Edited byનિલય ભાવસાર | I am Gujarat 22 Oct 2022, 10:45 pm

હાઈલાઈટ્સ:

  • શું ભારતીય જનતા પાર્ટીના ગઢ ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી કોઈ કમાલ કરી દેખાડશે?
  • શું મુસ્લિમ મતદાતાઓ પર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીની અસર છે?
  • અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં મોદી અને કેજરીવાલને ટક્કર આપી શકશે?
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat asaduddin owaisi
BJPના ગઢ ગુજરાતમાં ઓવૈસીની AIMIM કોઈ કમાલ દેખાડશે?
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હજુ સુધી તારીખોની જાહેરાત થઈ નથી અને ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)ની પાર્ટી AIMIM (All India Majlis-e-Ittehadul Muslimeen)એ ગુજરાતમાં ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેમણે પોતાના કેટલાંક ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરી દીધી છે. શું ભારતીય જનતા પાર્ટીના ગઢ ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી કોઈ કમાલ કરી દેખાડશે? શું મુસ્લિમ મતદાતાઓ પર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીની અસર છે? અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં મોદી અને કેજરીવાલને ટક્કર આપી શકશે? આ સવાલના જવાબ જાણવા માટે એબીપી- સી વૉટરે મળીને સાપ્તાહિક સર્વે કર્યો.
આ સર્વેમાં ગુજરાતની જનતાને પૂછવામાં આવ્યું કે શું અસદુદ્દીન ઓવૈસીનો મુસ્લિમ વૉટરોમાં પ્રભાવ છે તો 31 ટકા લોકોએ હા કહ્યું જ્યારે 69 ટકા લોકોનું માનવું છે કે અસદુદ્દીન ઓવૈસીની ગુજરાતના વૉટરો પર કોઈ અસર નથી. આ સર્વેમાં 1216 લોકોને સવાલ પૂછવામાં આવ્યા. સવાલ પૂછાયો કે અસદુદ્દીન ઓવૈસીની ગુજરાતના વૉટરો પર અસર છે?
હા - 31 ટકા
ના - 69 ટકા

ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દરમિયાન રાજકીય પક્ષો પ્રચાર માટે પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પક્ષોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યાં બીજી તરફ AAPના અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં જોરશોરથી રેલીઓ કરી રહ્યા છે. દરમિયાન AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તેમની પાર્ટીના બે ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. ઓવૈસીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે AIMIMના 2 ઉમેદવારોની જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે. 49-બાપુનગર બેઠક પરથી શાહનવાઝ ખાન પઠાણ (સિબુ ભાઈ) અને 163-લિંબાયત બેઠક પરથી અબ્દુલ બસીર શેખને AIMIM દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story