એપશહેર

ગૃહમંત્રી અમિત શાહ આક્રમક મૂડમાં, કહ્યું- 2002માં પાઠ ભણાવ્યા બાદ ગુજરાતમાં સ્થપાઈ શાંતિ

દેશના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં 2002માં તોફાનો એટલા માટે થતા હતા કારણ કે ગુનેગારો લાંબા સમય સુધી કોંગ્રેસનું સમર્થન મળતું હતું. વર્ષ 2002માં સબક શીખવ્યા બાદ આવા તત્વોએ હિંસાનો માર્ગ છોડવો પડ્યો. હવે આવા અસામાજીક તત્વો વર્ષ 2002થી 2022 સુધી હિંસાથી દૂર છે. તેમણે ભાજપે સાંપ્રદાયિક હિંસામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરીને ગુજરાતમાં સ્થાયી શાંતિ સ્થાપિત થઈ છે.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 25 Nov 2022, 10:16 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારના ભાગરૂપે કહ્યું હતું કે અસામાજીક તત્વો હિંસા સંડોવાયેલા હતા અને કોંગ્રેસ તેમને સમર્થન આપતા હતા. જોકે વર્ષ 2002માં સબક શીખવ્યા બાદ ગુનેગારોની પ્રવૃત્તિઓ બંધ થઈ અને ભાજપે રાજ્યમાં કાયમી શાંતિની સ્થાપના કરી.

શાહે રાજ્યમાં આગામી મહિને યોજાનાર ચૂંટણી અગાઉ ખેડા જિલ્લાના મહુધામાં ભાજપ ઉમેદવારોના પક્ષમાં એક રેલીનું આયોજન કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસના શાસનકાળમાં સતત કોમી તોફાનો થતા હતા. કોગ્રેસ વિવિધ સમુદાયો અને જાતિઓના સભ્યોને એક બીજા સામે ઉશ્કેરતી હતી. કોંગ્રેસે આવા તોફાની તત્વો મારફતે પોતાની મતબેંકને મજબૂત કરી અને સમાજના એક મોટા વર્ગ સામે અન્યાય કર્યો. પણ વર્ષ 2002માં તોફાની તત્વો સામે એવો કાયદાનો સકંજો કસવામં આવ્યો કે તેને લીધે રાજ્યમાં કાયમી શાંતિ સ્થપાઈ.

અમિત શાહે કહ્યુંઃ રાજ્યમાં કોંગ્રેસના રાજમાં અશાંતિ હતી

દેશના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં 2002માં તોફાનો એટલા માટે થતા હતા કારણ કે ગુનેગારો લાંબા સમય સુધી કોંગ્રેસનું સમર્થન મળતું હતું. વર્ષ 2002માં સબક શીખવ્યા બાદ આવા તત્વોએ હિંસાનો માર્ગ છોડવો પડ્યો. હવે આવા અસામાજીક તત્વો વર્ષ 2002થી 2022 સુધી હિંસાથી દૂર છે. તેમણે ભાજપે સાંપ્રદાયિક હિંસામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરીને ગુજરાતમાં સ્થાયી શાંતિ સ્થાપિત થઈ છે.
ગુજરાતમાં વર્ષ 2002 અગાઉ સતત કોમી તોફાનો થતા હતા અને હિંસક તત્વોને કોંગ્રેસ દ્વારા સતત છાવરવામાં આવતા હતા, કોંગ્રેસ પોતાની વોટબેંક માટે આવા તોફાની તત્વોને સતત સાવરતી હતી.
370ની કલમ દૂર કરવા બદલ PM મોદીને અભિનંદનઃ ગૃહમંત્રી
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી બંધારણની કલમ 370 દૂર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા શાહે કહ્યું કે કોંગ્રેસે પોતાની વોટ બેંકને લીધે તેની સામે હતા.

Read Next Story