Gujarat Vidhan Sabha Election Results : આ વખતે એકપણ ધારાસભ્યને 'વેચાવા' નહીં દે કોંગ્રેસ! હોર્સ-ટ્રેડિંગ ટાળવા મોવડી મંડળે ઘડી રણનીતિ
Gujarat Election Result: જો કોંગ્રેસને આ વખતે ચૂંટણીમાં 80 અથવા તેની નજીકની બેઠકો મળશે તો તેઓ પોતાના ધારાસભ્યોને વેચાવા નહીં દે. હોર્સ-ટ્રેડિંગ ટાળવા માટે પાર્ટીએ નક્કર રણનીતિ તૈયાર કરી છે. બુધવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ઈન-ચાર્જ ડૉ. રઘુ શર્માના વડપણ હેઠળ બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
હાઈલાઈટ્સ:
- પોતાના ચૂંટાયેલા ધારાસભ્યોને જયપુર લઈ જવાનો કોંગ્રસનો પ્લાન.
- કોંગ્રેસે છ જેટલા નેતાઓને ચૂંટાયેલી ધારાસભ્યો પર નજર રાખવાનું કામ પણ સોંપ્યું છે.
- અમદાવાદની ચાર બેઠકો પર કોંગ્રેસ પોતાની જીત પાકી માની રહી છે.
Gujarat Assembly Election Voting Results : ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં કોને બહુમત મળશે તેનું ચિત્ર આગામી થોડા કલાકોમાં સ્પષ્ટ થઈ જશે. ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોથી જોવા મળ્યું છે કે, પોતાના ધારાસભ્યોને ખરીદાઈ જતાં રોકવા માટે કોંગ્રેસ તેમને કોઈ રિસોર્ટમાં લઈ જાય છે. આ વખતે પણ કોંગ્રેસે આવી જ રણનીતિ તૈયાર કરી છે. વિધાનસભા 2022ની ચૂંટણીમાં(Gujarat Assembly Election ) જો કોંગ્રેસને 80 અથવા તેની નજીકની બેઠકો મળે તો તેમણે પોતાના ચૂંટાયેલા ધારાસભ્યોને જયપુરના રિસોર્ટમાં લઈ જવાનો પ્લાન બનાવ્યો છે. જેથી કરીને હોર્સ-ટ્રેડિંગ રોકી શકાય.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને રાજ્યના ઈન-ચાર્જ ડૉ. રઘુ શર્માએ બુધવારે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. જો પાર્ટી પોતાના 125 બેઠકોના લક્ષ્ય સુધી ના પહોંચી શકે અથવા તો બહુમત ના મેળવી શકે તો આગળની રણનીતિ શું હશે તેની ચર્ચા કરવામાં આવી હતી. જો કોંગ્રેસ 80થી વધુ બેઠકો પર જીત મેળવે અને સરકાર બનાવવામાં જો થોડી જ બેઠકો ખૂટતી હોય તો તેઓ પોતાના બધા જ ધારાસભ્યોને જયપુરના રિસોર્ટમાં લઈ જશે જેથી હોર્સ-ટ્રેડિંગ ટાળી શકાય.
પોતાના ધારાસભ્યોને 'વેચાવા' નહીં દે કોંગ્રેસ!
કોંગ્રેસે છ જેટલા નેતાઓને ચૂંટાયેલી(Gujarat Election Results 2022 ) ધારાસભ્યો પર નજર રાખવાનું કામ પણ સોંપ્યું છે. સ્થાનિક અખબાર અમદાવાદ મિરરના અહેવાલમાં સૂત્રોના હવાલેથી ટાંકવામાં આવ્યું છે કે, આ બેઠકમાં વિવિધ બેઠકો પર પાર્ટીનું ભાવિ શું હોઈ શકે, મતક્ષેત્રે પ્રમાણે ભાજપનું કદ કેટલું છે, સરકાર બનાવવાના વિકલ્પો વગેરે જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ વખતે પાર્ટીએ મક્કમ નિર્ધાર કરી લીધો છે કે જો ગત ચૂંટણીની જેમ તેઓ આ વખતે 80ના આંકડાની નજીક પહોંચે તો તેઓ પોતાના ધારાસભ્યોને 'વેચાવા' નહીં દઈને ભાજપને સીધી ટક્કર આપશે. સૂત્રોનું માનીએ તો, કોંગ્રેસ અવિશ્વસનીય પરિણામ માટે તૈયારી કરી રહી છે.
આ બેઠકો પર જીતની આશા
"નેતાઓને ખાતરી છે કે, અમદાવાદની ચાર બેઠકો- દાણીલીમડા, બાપુનગર, દરિયાપુર અને જમાલપુર-ખાડિયામાં કોંગ્રેસનો જ વિજય થશે. અમદાવાદ ગ્રામ્યની પાંચ બેઠકો- વિરમગામ, ધોળકા, ધંધુકા, સાણંદ અને દસક્રોઈમાં પણ પાર્ટી બહુમત મેળવશે તેવી આશા છે", તેમ સૂત્રોએ વધુમાં ઉમેર્યું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને રાજ્યના ઈન-ચાર્જ ડૉ. રઘુ શર્માએ બુધવારે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. જો પાર્ટી પોતાના 125 બેઠકોના લક્ષ્ય સુધી ના પહોંચી શકે અથવા તો બહુમત ના મેળવી શકે તો આગળની રણનીતિ શું હશે તેની ચર્ચા કરવામાં આવી હતી. જો કોંગ્રેસ 80થી વધુ બેઠકો પર જીત મેળવે અને સરકાર બનાવવામાં જો થોડી જ બેઠકો ખૂટતી હોય તો તેઓ પોતાના બધા જ ધારાસભ્યોને જયપુરના રિસોર્ટમાં લઈ જશે જેથી હોર્સ-ટ્રેડિંગ ટાળી શકાય.
પોતાના ધારાસભ્યોને 'વેચાવા' નહીં દે કોંગ્રેસ!
કોંગ્રેસે છ જેટલા નેતાઓને ચૂંટાયેલી(Gujarat Election Results 2022 ) ધારાસભ્યો પર નજર રાખવાનું કામ પણ સોંપ્યું છે. સ્થાનિક અખબાર અમદાવાદ મિરરના અહેવાલમાં સૂત્રોના હવાલેથી ટાંકવામાં આવ્યું છે કે, આ બેઠકમાં વિવિધ બેઠકો પર પાર્ટીનું ભાવિ શું હોઈ શકે, મતક્ષેત્રે પ્રમાણે ભાજપનું કદ કેટલું છે, સરકાર બનાવવાના વિકલ્પો વગેરે જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ વખતે પાર્ટીએ મક્કમ નિર્ધાર કરી લીધો છે કે જો ગત ચૂંટણીની જેમ તેઓ આ વખતે 80ના આંકડાની નજીક પહોંચે તો તેઓ પોતાના ધારાસભ્યોને 'વેચાવા' નહીં દઈને ભાજપને સીધી ટક્કર આપશે. સૂત્રોનું માનીએ તો, કોંગ્રેસ અવિશ્વસનીય પરિણામ માટે તૈયારી કરી રહી છે.
આ બેઠકો પર જીતની આશા
"નેતાઓને ખાતરી છે કે, અમદાવાદની ચાર બેઠકો- દાણીલીમડા, બાપુનગર, દરિયાપુર અને જમાલપુર-ખાડિયામાં કોંગ્રેસનો જ વિજય થશે. અમદાવાદ ગ્રામ્યની પાંચ બેઠકો- વિરમગામ, ધોળકા, ધંધુકા, સાણંદ અને દસક્રોઈમાં પણ પાર્ટી બહુમત મેળવશે તેવી આશા છે", તેમ સૂત્રોએ વધુમાં ઉમેર્યું.