એપશહેર

Gujarat Election: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, સૌરાષ્ટ્રમાં ચાર જનસભાનું આયોજન

Gujarat Election: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે પીએમ મોદી પણ ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી સોમનાથ મંદિરે પહોંચ્યા હતા અને દાદાની પૂજા-અર્ચના કરી હતી. આ સિવાય પીએમ મોદી સૌરાષ્ટ્રમાં ચાર જનસભાને પણ સંબોધિત કરવાના છે. પીએમ મોદીએ પ્રચારને લઈને એક ટ્વિટ પણ કર્યુ હતુ.

Curated byમનીષ કાપડિયા | I am Gujarat 20 Nov 2022, 11:40 am

હાઈલાઈટ્સ:

  • પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, સોમનાથ મંદિરમાં કર્યા દાદાના દર્શન
  • સૌરાષ્ટ્રમાં ચાર જનસભાનું આયોજન, 23 નવેમ્બરે ફરી ગુજરાતમાં આવશે
  • સાંજે છ વાગે અમદાવાદ પહોંચશે, ગાંધીનગર રાજભવનમાં કરશે રાત્રિ રોકાણ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat pm modi in somnath temple
પીએમ મોદીએ સોમનાથ મંદિરે પહોંચીને દાદાના શરણોમાં શિશ ઝૂકાવ્યું હતું.
ગીર-સોમનાથઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષઓ સક્રિય થઈ ગયા છે. ઠેર ઠેર રેલીઓ અને જાહેરસભાઓ યોજાઈ રહી છે. આ દરમિયાન પીએમ મોદી પણ ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ ગુજરાતના સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસે છે. ત્યારે તેઓએ સોમનાથ મંદિરે પહોંચીને દાદાના દર્શન કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. સાથે જ ભૂપેન્દ્ર પટેલે પણ પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદી મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરે એવી પણ શક્યતા છે. ત્યારબાદ પીએમ મોદી ચાર જિલ્લાઓમાં ચૂંટણી સભા ગજવશે. બીજી તરફ, અમિત શાહ પણ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
દાદાના શરણોમાં શિશ ઝૂકાવ્યું
મહત્વનું છે કે જ્યારે પીએમ મોદીનો કાફલો સોમનાથ મંદિરે પહોંચ્યો ત્યારે ભવ્ય રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એકત્રિત થયેલી ભીડે પોતાનો હાથ ઉંચો કરીને અભિવાદન કર્યુ હતુ. પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ મંદિરે પહોંચ્યા બાદ પીએમ મોદીએ દાદાના દર્શન કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. પીએમ મોદીએ દાદાના શરણોમાં શીશ ઝૂકાવ્યું હતું અને પાર્ટી માટે પ્રાર્થના પણ કરી હતી. નોંધનીય છે કે, પીએમ મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરવાના છે. અહીં તેઓ ચાર જનસભાને સંબોધિત કરશે.
કમળનો વિકલ્પ છોડીને ઝાડૂને પસંદ કરનારા નેતાઓને AAPએ નિરાશ ના કર્યા, 25 કોંગ્રેસીઓને આપી ટિકિટ
પીએમનો પ્લાન
પીએમ મોદી સવારે વલસાડથી સોમનાથ આવવા માટે રવાના થયા હતા. તેઓ દસ વાગ્યાની આસપાસ સોમનાથ હેલિપેડ પર પહોંચ્યા હતા. બાદમાં સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. બાદમાં તેઓ વેરાવળ જશે અને જનસભાને સંબોધશે. 11 વાગ્યાની આસપાસ તેઓ વેરાવળ જાહેર સભાને સંબોધિત કરવાના છે. એ પછી ધોરાજી જવા રવાના થશે. અહીં બપોરે એક વાગ્યાની આસપાસ જાહેર સભાને સંબોધશે.
પ્રચાર માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે નેતાઓ, રિક્ષાનું રોજનું ભાડું 1500 તો ફોર્ચ્યુનરનું 15 હજાર
સાંજે અમદાવાદ પહોંચશે
ધોરાજીથી બપોરે 1.45 વાગ્યાની આસપાસ તેઓ અમરેલી જવા માટે રવાના થશે. બપોરે 2.20ની આસપાસ તેઓ અમરેલી પહોંચશે. અમરેલીમાં પણ પીએમ મોદી જાહેરસભાને સંબોધશે. બાદમાં 3.30 વાગે તેઓ બોટાદ જવા માટે રવાના થશે. સાડા ચાર વાગે બોટાદમાં તેઓ જાહેરસભાને સંબોધશે. સવા પાંચ વાગ્યાની આસપાસ તેઓ બોટાદથી અમદાવાદ એરપોર્ટ પર જવા માટે રવાના થશે. સાંજે છ વાગ્યાની આસપાસ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે. બાદમાં અમદાવાદથી ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. સૌરાષ્ટ્રમાં જે ચૂંટણી પ્રચારનો પ્લાન છે તેનો પીએમ મોદીએ ટ્વિટ કરીને માહિતી પણ આપી હતી.
Read Latest Gujarat Election News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story