એપશહેર

અંતરઆત્માનો અવાજ સાંભળ્યો.. નામ પાછું ખેંચનારા AAP ઉમેદવાર કંચન જરીવાલાનો વિડીયો વાયરલ

Kanchan Jariwala: 'અમારા વિસ્તારમાં મને વારંવાર કહેવામાં આવતું હતું કે તમે રાષ્ટ્રવિરોધી છો. ગુજરાત વિરોધી છો. જે પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે તેમાં સમર્થન આપીશું નહીં. મારા વિસ્તારના લોકોનો આવો પ્રતિભાવ મળતા મારો અંતરઆત્મા કકડી ઉડ્યો હતો. જેથી મેં અંતરઆત્માનો અવાજ સાંભળીને રાષ્ટ્રવિરોધી અને ગુજરાત વિરોધી પાર્ટીમાંથી ચૂંટણી નહીં લડવાનું મન બનાવ્યું.'

Edited byદીપક ભાટી | I am Gujarat 16 Nov 2022, 7:53 pm
સુરત: સુરત પૂર્વ વિધાનસભા બેઠકમાં ઉથલપાથલ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર કંચન જરીવાલાએ બે દિવસથી ચાલી રહેલા તમામ હોબાળા વચ્ચે બુધવારે પોતાનું નામાંકન પત્ર પાછું ખેંચી લીધું. કંચન જરીવાલાએ એક દિવસ પહેલા જ ઉમેદવારી નોંધાવી હતી, ત્યારથી તે ગુમ હતા. આમ આદમી પાર્ટીએ કંચનનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
I am Gujarat Kanchan Jariwala
ફાઈલ તસવીર


મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે કંચન જરીવાલાનો પરિવાર ગુમ છે. જરીવાલાને ભાજપના ગુંડાઓએ અપહરણ કરી લીધું છે. તેમણે આ મામલે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી. અહીં કંચન જરીવાલાનું નામ પાછું ખેંચાયા બાદ AAP નેતાઓએ હોબાળો મચાવ્યો. આ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવીને કાર્યકરોને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા અને કંચન જરીવાલાને પોલીસ સુરક્ષા વચ્ચે પરત લઈ ગઈ. અહેવાલો અનુસાર હવે જરીવાલા કોંગ્રેસના ઉમેદવારના માણસોથી પોતાને ખતરો હોવાનું કહી પોલીસ રક્ષણ માગી રહ્યા છે.

જરીવાલાનો એક વિડીયો સામે આવ્યો
આ બધા વચ્ચે કંચન જરીવાલાનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, હું કંચન જરીવાલા પૂર્વ વિધાનસભામાંથી ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટમી પ્રચાર શરૂ કર્યો હતો. દરમિયાન અમારા વિસ્તારમાં મને વારંવાર કહેવામાં આવતું હતું કે તમે રાષ્ટ્રવિરોધી છો. ગુજરાત વિરોધી છો. જે પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે તેમાં સમર્થન આપીશું નહીં. મારા વિસ્તારના લોકોનો આવો પ્રતિભાવ મળતા મારો અંતરઆત્મા કકડી ઉડ્યો હતો. જેથી મેં અંતરઆત્માનો અવાજ સાંભળીને રાષ્ટ્રવિરોધી અને ગુજરાત વિરોધી પાર્ટીમાંથી ચૂંટણી નહીં લડવાનું મન બનાવીને મારું ઉમેદવારી ફોર્મ કોઈ પણ ધાકધમકી અને દબાણ વગર પાછું ખેંચી લીધું છે.

'ઉમેદવારનું અપહરણ'દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ કહ્યું, 'ગુજરાતની ચૂંટણીમાં ભાજપ ખરાબ રીતે હારી રહી છે અને તે નારાજ થઈને એટલા નીચા સ્તરે આવી ગઈ કે તેણે સુરત પૂર્વમાંથી અમારા ઉમેદવારનું અપહરણ કર્યું. હારના ડરથી ભાજપના ગુંડાઓએ AAPના સુરતના ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાજપે આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય અરવિંદ રાણાને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story