ચંદીગઢઃ પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને વિવિધ એજન્સીઓએ એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. વિવિધ એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બનતી જોવા મળી રહી છે. સામે આવેલા એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યાં છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની પ્રચંડ બહુમત સાથે સરકાર બનતી જોવા મળી રહી છે. પંજાબ વિધાનસભાની 113 સીટોના એક્ઝિટ પોલમાં AAPના 70થી વધુ ઉમેદવારો વિજય થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નોંધનીય વાત એ છે કે, ચૂંટણીના થોડા મહિના પહેલાં ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રીની ખુરશી સોંપનારી કોંગ્રેસને ભારે નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ત્યારે આવો જોઈએ વિવિધ સર્વે એન્જસી દ્વારા જાહેર એક્ઝિટ પોલના આંકાડ પર. પંજાબ ચૂંટણી ઈન્ડિયા ટુડે-એક્સિસ-માય ઈન્ડિયા એક્ઝિટ પોલ
કોંગ્રેસઃ 19-31
ભાજપઃ 1-4
એસએડી+: 7-11
આપઃ 76-90
અન્યઃ 0-2
વોટ શેર
કોંગ્રેસઃ 28 ટકા
ભાજપઃ 7 ટકા
એસએડી+: 19 ટકા
આપઃ 41 ટકા
અન્યઃ 5 ટકા
પંજાબ ચૂંટણી ટાઈમ્સ નાઉ-વીટો એક્ઝિટ પોલ
કોંગ્રેસઃ 22
ભાજપઃ 5
એસએડી+: 19
આપઃ 70
અન્યઃ 1
પંજાબ ચૂંટણી ચાણક્ય ટુડે એક્ઝિટ પોલ
કોંગ્રેસઃ 10
ભાજપઃ 1
એસએડી+: 6
આપઃ 100
અન્યઃ 00
elections
ABP-C વોટરના એક્ઝિટ પોલમાં પણ આપ આગળ
પંજાબ ચૂંટણી પર સામે આવેલા એબીપી-સી વોટરના એક્ઝિટ પોલમાં કોઈ પણ પાર્ટીને બહુમત મળતુ હોય એવું દેખાઈ રહ્યું નથી. આમ આદમી પાર્ટીને 51થી 61 સીટો એટલે કે 39 ટકા વોટ મળી શકે છે. તો કોંગ્રેસને 22-28 એટલે કે 27 ટકા વોટ, અકાળી દળને 20-26 એટલે કે 21 ટકા વોટ અને ભાજપ અલાયન્સને 7થી 13 સીટો એટલે કે 9 ટકા વોટ મળવાનું અનુમાન છે. તો અન્યને 1થી 5 સીટો એટલે કે 4 ટકા વોટ મળી શકે છે.
પંજાબમાં કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને ચૂંટણીના થોડા જ મહિનાઓ પહેલાં રાજ્યના પહેલા દલિત સીએમ બનાવ્યા હતા. તો આમ આદમી પાર્ટીએ ભગવંત માનને પોતાના સીએમ કેન્ડિડેટ બનાવ્યા હતા. અકાળી દળ અને બસપાનું ગઠબંધન પણ મેદાનમાં છે. કેપ્ટન અમરિંદર સિંહની સાથે ગઠબંધનમાં ભાજપ પણ સંપૂર્ણ જોર લગાવી રહ્યો છે. બીજી તરફ, ખેડૂતોના મોરચા પણ સંયુક્ત સમાજ મોરચા તરીકે રાજ્યમાં ચૂંટણી મેદાનમાં છે.
કોંગ્રેસઃ 19-31
ભાજપઃ 1-4
એસએડી+: 7-11
આપઃ 76-90
અન્યઃ 0-2
વોટ શેર
કોંગ્રેસઃ 28 ટકા
ભાજપઃ 7 ટકા
એસએડી+: 19 ટકા
આપઃ 41 ટકા
અન્યઃ 5 ટકા
પંજાબ ચૂંટણી ટાઈમ્સ નાઉ-વીટો એક્ઝિટ પોલ
કોંગ્રેસઃ 22
ભાજપઃ 5
એસએડી+: 19
આપઃ 70
અન્યઃ 1
પંજાબ ચૂંટણી ચાણક્ય ટુડે એક્ઝિટ પોલ
કોંગ્રેસઃ 10
ભાજપઃ 1
એસએડી+: 6
આપઃ 100
અન્યઃ 00
elections
ABP-C વોટરના એક્ઝિટ પોલમાં પણ આપ આગળ
પંજાબ ચૂંટણી પર સામે આવેલા એબીપી-સી વોટરના એક્ઝિટ પોલમાં કોઈ પણ પાર્ટીને બહુમત મળતુ હોય એવું દેખાઈ રહ્યું નથી. આમ આદમી પાર્ટીને 51થી 61 સીટો એટલે કે 39 ટકા વોટ મળી શકે છે. તો કોંગ્રેસને 22-28 એટલે કે 27 ટકા વોટ, અકાળી દળને 20-26 એટલે કે 21 ટકા વોટ અને ભાજપ અલાયન્સને 7થી 13 સીટો એટલે કે 9 ટકા વોટ મળવાનું અનુમાન છે. તો અન્યને 1થી 5 સીટો એટલે કે 4 ટકા વોટ મળી શકે છે.
પંજાબમાં કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને ચૂંટણીના થોડા જ મહિનાઓ પહેલાં રાજ્યના પહેલા દલિત સીએમ બનાવ્યા હતા. તો આમ આદમી પાર્ટીએ ભગવંત માનને પોતાના સીએમ કેન્ડિડેટ બનાવ્યા હતા. અકાળી દળ અને બસપાનું ગઠબંધન પણ મેદાનમાં છે. કેપ્ટન અમરિંદર સિંહની સાથે ગઠબંધનમાં ભાજપ પણ સંપૂર્ણ જોર લગાવી રહ્યો છે. બીજી તરફ, ખેડૂતોના મોરચા પણ સંયુક્ત સમાજ મોરચા તરીકે રાજ્યમાં ચૂંટણી મેદાનમાં છે.