એપશહેર

સુશાંતના 'કાઈ પો છે' કો-સ્ટાર અમિત સાધ 4 વખત આપઘાતનો પ્રયાસ કરી ચૂક્યા છે

I am Gujarat 21 Nov 2020, 10:57 am
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ઈન્ડસ્ટ્રીની ડાર્ક સાઈડ્સ અને મેન્ટલ હેલ્થ પર વધારે ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોના આપઘાતની ખબર આવી ચૂકી છે, ઘણા સેલેબ્સે ડિપ્રેશન પર વાત કરી. તેમાંથી એક સુશાંતના 'કાઈ પો છે' ફિલ્મના કો-સ્ટાર અમિત સાધ પણ છે.
I am Gujarat amit 1


અમિત સાધે હાલમાં જ જણાવ્યું કે, જ્યારે તે 16-18 વર્ષની ઉંમરનો હતો ત્યારે તેણે 4 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે જણાવે છે કે, તે સુસાઈડલ નહોતા છતાં પોતાનું જીવન ખતમ કરવાનો પ્રયાસ કરતા રહેતા હતા. ચોથા વખતના પ્રયાસમાં તેમણે નક્કી કર્યું કે હવે આવું નથી કરવાનું પરંતુ આગળ વધવાનું છે. આ બાદ તેમણે 'નેવર ગિવ અપ'નો મંત્ર અપનાવ્યો અને ક્યારેય પાછળ ફરીને ન જોયું.

અમિતને તેમાંથી બહાર નીકળવામાં 20 વર્ષ લાગ્યા
જોકે તેમના મનમાં પોઝિટિવિટી અને તાકાત એટલી જલ્દી નહોતી આવી. અમિત સાધે MensXPને જણાવ્યું કે તેનાથી બહા નીકળવામાં તેમને 20 વર્ષ લાગ્યા. તેઓ જણાવે છે કે, હું તેમાંથી એક દિવસમાં નથી નીકળ્યો, મને 20 વર્ષ લાગી ગયા. મને બસ આટલી ખબર હતી કે આ અંત નથી.

હવે મનમાં કમજોર લોકો માટે છે પ્રેમતેમણે જણાવ્યું કે, જે દિવસે તેમને સમજમાં આવ્યું કે જીવન એક ગિફ્ટ છે, તે દિવસ તેમનો દ્રષ્ટિકોણ પોઝિટિવ થઈ ગયો. તેઓ જણાવે છે કે, હવે મારા મનમાં કમજોર લોકો માટે પ્રેમ અને દયા છે. અમિતે કહ્યું કે, ઘણા લોકો આપઘાત કરી લે છે અને ઘણા લોકોને એક ખરાબ સમય પર તેનો વિચાર આવે છે. મારા માટે અસલી તાકાત તેમાંથી બહાર આવવું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો