અભિષેક બચ્ચનના ફેન્સ માટે રાહતના સમાચાર છે. આખરે 29 દિવસ બાદ જૂનિયર બચ્ચને કોરોનાને મ્હાત આપી છે. અભિષેક સહિત બચ્ચન પરિવારના ચાર સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરાધ્યા અને ઐશ્વર્યા રાય બચ્ચન સૌથી પહેલા કોરોનાને હરાવીને ઘરે આવ્યા હતા. તેના થોડા દિવસ બાદ અમિતાભ બચ્ચને કોરોને મ્હાત આપી. ત્યારે હવે અભિષેક બચ્ચને પણ કોરોનાથી મુક્તિ મેળવી છે.
અભિષેકે શનિવારે બપોરે ટ્વિટર પર આ ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. અભિષેકે ટ્વિટ કરીને લખ્યું, "વચન એટલે વચન! આજે બપોરે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું ને કે હું કોરોનાને હરાવીશ. મારા પરિવાર અને મારા માટે પ્રાર્થનાઓ બદલ સૌનો આભાર. નાણાવટી હોસ્પિટલના ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફનો હંમેશા આભારી રહીશ. થેન્ક્યૂ."
આ સિવાય અભિષેક બચ્ચને નાણાવટી હોસ્પિટલમાંથી 'કેર બોર્ડ'ની તસવીર શેર કરી છે. જેમાં 29મા દિવસે ડિસ્ચાર્જ થઈ રહ્યો હોવાનો ઉલ્લેખ છે. મતલબ કે, આજે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી અભિષેક હોસ્પિટલથી ઘરે જશે. અભિષેકે કોરોના નેગેટિવ આવ્યાની પોસ્ટ મૂકતાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ અને તેના ફેન્સે શુભકામના પાઠવી હતી.
જણાવી દઈએ કે, 11 જુલાઈએ અભિષેક બચ્ચને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તે અને પિતા અમિતાભ કોરોના પોઝિટિવ છે અને હોસ્પિટલમાં દાખલ થયા છે. જે બાદ 12 જુલાઈએ ઐશ્વર્યા અને આરાધ્યા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને થોડા દિવસ બાદ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જો કે, પરિવારના ત્રણેય સભ્યો કોરોના મુક્ત થયા બાદ કેટલીક કો-મોર્બિટીના કારણે અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જ રહ્યો હતો. જો કે, આખરે હવે જૂનિયર બચ્ચને કોરોનાને હરાવ્યો છે.
અભિષેકે શનિવારે બપોરે ટ્વિટર પર આ ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. અભિષેકે ટ્વિટ કરીને લખ્યું, "વચન એટલે વચન! આજે બપોરે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું ને કે હું કોરોનાને હરાવીશ. મારા પરિવાર અને મારા માટે પ્રાર્થનાઓ બદલ સૌનો આભાર. નાણાવટી હોસ્પિટલના ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફનો હંમેશા આભારી રહીશ. થેન્ક્યૂ."
આ સિવાય અભિષેક બચ્ચને નાણાવટી હોસ્પિટલમાંથી 'કેર બોર્ડ'ની તસવીર શેર કરી છે. જેમાં 29મા દિવસે ડિસ્ચાર્જ થઈ રહ્યો હોવાનો ઉલ્લેખ છે. મતલબ કે, આજે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી અભિષેક હોસ્પિટલથી ઘરે જશે. અભિષેકે કોરોના નેગેટિવ આવ્યાની પોસ્ટ મૂકતાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ અને તેના ફેન્સે શુભકામના પાઠવી હતી.
જણાવી દઈએ કે, 11 જુલાઈએ અભિષેક બચ્ચને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તે અને પિતા અમિતાભ કોરોના પોઝિટિવ છે અને હોસ્પિટલમાં દાખલ થયા છે. જે બાદ 12 જુલાઈએ ઐશ્વર્યા અને આરાધ્યા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને થોડા દિવસ બાદ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જો કે, પરિવારના ત્રણેય સભ્યો કોરોના મુક્ત થયા બાદ કેટલીક કો-મોર્બિટીના કારણે અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જ રહ્યો હતો. જો કે, આખરે હવે જૂનિયર બચ્ચને કોરોનાને હરાવ્યો છે.