એપશહેર

...તો આ કારણે મોત પહેલા વારંવાર ગૂગલ પર પોતાનું નામ સર્ચ કરતો હતો સુશાંત

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ અહેવાલો હતા કે તે વારંવાર પોતાનું નામ ગૂગલ પર સર્ચ કરતો હતો. હવે મોત પહેલા સુશાંતે આવું શા માટે કર્યું હતું તેનો જવાબ મળ્યો છે. સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે આ બાબતનો ખુલાસો કર્યો છે.

I am Gujarat 30 Jul 2020, 3:28 pm
સુશાંત સિંહ રાજપૂતના મોત પર રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે પટનામાં FIR નોંધાવી છે. FIRમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સુશાંતને ડર હતો કે ક્યાંક રિયા તેને એક્સ-મેનેજર દિશા સાલિયાનના મોત કેસમાં ફસાવી ના દે. સુશાંતની મોત બાદ સામે આવ્યું હતું કે, તેણે આત્મહત્યા પહેલા ઘણીવાર ગૂગલ પર પોતાને સર્ચ કર્યો હતો. સુશાંતના પરિવારના વકીલે પણ આ વાત કહી છે કે, તે દિશા સાલિયાનના મોતથી પરેશાન હતો.
I am Gujarat according to advocate sushant singh rajput was in fear after dishas death
...તો આ કારણે મોત પહેલા વારંવાર ગૂગલ પર પોતાનું નામ સર્ચ કરતો હતો સુશાંત


દિશાના મોતની અસર સુશાંતની મેન્ટલ હેલ્થ પર થઈ હતી

રિયા ચક્રવર્તી સામે ફરિયાદ દાખલ થયા બાદ સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વિકાસે જણાવ્યું કે, દિશા સાલિયાનની મોતના કારણે સુશાંત મેન્ટલી ડિસ્ટર્બ થયો હતો. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં વિકાસ સિંહે જણાવ્યું કે, સુશાંતને ડર હતો કે આ મામલામાં ક્યાંક તેને ફસાવી ના દેવાય. આ વાત પણ સામે આવી છે કે, મોત પહેલા વારંવાર સ્વર્ગસ્થ એક્ટરે પોતાનું નામ ગૂગલ પર સર્ચ કર્યું હતું.

ખબરોના કારણે વધ્યો હતો સુશાંતનો ડર

વિકાસ સિંહે જણાવ્યું, રિયા ચક્રવર્તી ઘર છોડીને જતી રહી અને એ જ રાત્રે દિશા સાલિયાનનું મોત થઈ ગયું. સમાચારમાં આવવા લાગ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજરે આત્મહત્યા કરી લીધી છે. આ સ્થિતિમાં સુશાંતનો ડર વધી ગયો કે ક્યાંક તેને આ કેસમાં ફસાવી ના દેવાય. આ જ કારણે તે વારંવાર ગૂગલ ચેક કરતો હતો. તો બીજી તરફ રિયાએ પણ સુશાંતનો નંબર બ્લોક કરી દીધો હતો.

રિયાએ નંબર બ્લોક કરતાં પરેશાન હતો સુશાંત

વકીલ વિકાસ સિંહનું એમ પણ કહેવું છે કે, સુશાંતની માનસિક સ્થિતિને જોતાં શું રિયાનું આ પ્રકારે તેને છોડીને જવું યોગ્ય હતું? રિયાએ તેનો નંબર બ્લોક કરી દેતાં વધારે પરેશાન થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે.

CBI તપાસની માગ કરતી અરજી ફગાવાઈ

આ તરફ સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે સતત CBI તપાસની માગ ઉઠી રહી છે. દરમિયાન આ મામલો CBIને સોંપાવો જોઈએ તેવી માગ કરતી જાહેરહિતની અરજી કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજીકર્તા અલખ પ્રિયાનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. કોર્ટે અરજીકર્તાને કહ્યું કે, તેઓ બોમ્બે હાઈકોર્ટ પાસે જઈ શકે છે.

Read Next Story