એપશહેર

દીકરીની બહાદુરીના વખાણ કરીને કંગનાના માતાએ પીએમ મોદી અને શાહનો આભાર માન્યો

કંગના રાનૌતના માતાએ કહ્યું કે મારી દીકરીની સાથે આખો દેશ છે, અને તે હંમેશા સચ્ચાઈ માટે લડી છે.

I am Gujarat 13 Sep 2020, 1:15 pm
એક્ટર કંગના રનૌતની મુંબઈમાં આવેલી સંપત્તિને ગેરકાયદેસર ઠેરવીને તેમાં તોડફોડ કરવામાં આવી જે બાદ શિવસેના અને કંગના વચ્ચેની ગરમા-ગરમી વધી રહી છે. આ બધાની વચ્ચે પોતાના સમર્થનમાં આવી રહેલા લોકોની કંગના ભારે પ્રશંસા કરી રહી છે. કંગનાની માતાએ પણ કંગનાની બહાદૂરીની પ્રશંસા કરી છે અને પોતાની દીકરી સાથે આખા દેશના લોકોની દુઆઓ હોવાનું જણાવ્યું છે. તેમણે આ અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
I am Gujarat actor kangana ranauts mother thanks pm narendra modi and union home minister amit shah
દીકરીની બહાદુરીના વખાણ કરીને કંગનાના માતાએ પીએમ મોદી અને શાહનો આભાર માન્યો


કંગના રનૌતના માતાએ કંગનાની બહાદુરીની પ્રશંસા કરીને કહ્યું છે કે, મને મારી દીકરી પર ગર્વ છે કે તે હંમેશા સચ્ચાઈની સાથે રહી છે અને રહેશે. મહત્વનું છે કે કંગનાની ઓફિસમાં તોડફોડ કરાયા બાદ તેની ભાષામાં તીખાશ વધારે જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ શિવસેના દ્વારા પણ આ મામલે નિવેદનો અને પોતાના મુખપત્ર સામના દ્વારા વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે.


કંગનાના માતાએ પોતાની દીકરીની સાથે આખો દેશ હોવાની વાત કરીને એમ પણ જણાવ્યું કે, અમે વર્ષોથી કોંગ્રેસી હતા, મારા સસરા હતા તેઓ પણ કોંગ્રેસી હતા અને છતાં અમે ત્યાંથી (ભાજપ તરથી) સપોર્ટ મળ્યો, એમને પણ ખબર છે કે અમે શરુઆતથી કોંગ્રેસી છીએ છતાં મારી દીકરીને સિક્યોરિટી આપી. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

આજે શિવસેનાએ કંગના રનૌતનું નામ લીધા વગર જ પોતાના મુખપત્ર સામના દ્વારા કંગનાને નિશાન બનાવી, આ લેખમાં શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે બોલીવુડના અન્ય સ્ટાર્સ કે જેઓ એકદમ ચૂપ છે તેમના પર પણ સવાલ ઉઠાવ્યા છે.

"મુંબઈનો બળાત્કાર, છતાં લોકો રહ્યા ચૂપ"

રાઉતે લખ્યું છે કે દુનિયાભરના અમીરોના ઘર મુંબઈમાં છે. મુંબઈનું જ્યારે અપમાન થાય છે તો બધા ગર્દન નમાવીને બેસી જાય છે. મુંબઈનું મહત્વ માત્ર પૈસા કમાવવા માટે નથી. આ બધાએ એ વાત યાદ રાખવી જોઈએ કે "ઠાકરે"ના હાથમાં મહારાષ્ટ્રની કમાન છે. મુંબઈ દેશનું હોય કે દુનિયાનું પણ તેના પર પહેલો હક મહારાષ્ટ્રનો છે. જ્યારે જ્યારે મુંબઈને દબાવવામાં આવ્યું ત્યારે-ત્યારે મહારાષ્ટ્રે પ્રતિકાર કર્યો. આમાં કશું ખોટું થાય છે તો વડાપ્રધાન મોદીએ જ જણાવવું જોઈએ.

મુંબઈને પાકિસ્તાન કહેનારાઓની પાછળ ભાજપ

મુંબઈને પહેલા પાકિસ્તાન પછી બાબર કહેનારા લોકોની પાછળ મહારાષ્ટ્રી ભાજપની પાર્ટી ઉભી છે, આ દુર્ભાગ્ય જ કહેવાય. મુંબઈના વિરોધમાં 60-65 વર્ષ પહેલા કોંગ્રેસના કેટલાક નેતાઓએ યોજનાબદ્ધ રીતે ષડ્યંત્ર રહ્યું હતું. એ ષડ્યંત્રકારોની છાતી પર પગ મૂકીને ભૂમિપુત્રોએ સંયુક્ત મહારાષ્ટ્રમાં ભગવો ઝંડો લહેરાવ્યો હતો.

Read Next Story