એપશહેર

'આદિપુરુષ'માં ભગવાન શિવ બનશે અજય દેવગણ? સૈફ અલી ખાન- પ્રભાસનો રોલ થઈ ગયો છે ફાઈનલ

સૈફ અલી ખાન 'આદિપુરુષ' ફિલ્મમાં લંકેશ એટલે કે રાવણની ભૂમિકા ભજવશે

I am Gujarat 11 Oct 2020, 7:10 pm
મુંબઈઃ 'તાન્હાજી: ધ અનસંગ વોરિયર' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર ડિરેક્ટર ઓમ રાઉત હાલમાં તેની આગામી ફિલ્મ 'આદિપુરુષ' ની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મ વિશે એક નવા સમાચાર આવી રહ્યો છે કે મહાકાવ્ય નાટક 3ડી એક્શન ફિલ્મમાં હવે અજય દેવગણનું નામ જોડાયુ છે. આ ફિલ્મમાં અજયની એન્ટ્રી સાથે જ ફેન્સમાં જોવા મળ્યો છે ભારે ઉત્સાહ.
I am Gujarat ajay devgn play lord shiva in prabhas and saif ali khan starrer adipurush
'આદિપુરુષ'માં ભગવાન શિવ બનશે અજય દેવગણ? સૈફ અલી ખાન- પ્રભાસનો રોલ થઈ ગયો છે ફાઈનલ


અજય દેવગણ ભજવશે શિવજીનું પાત્ર

તાજેતરમાં જ નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે સૈફ અલી ખાન 'આદિપુરુષ' ફિલ્મમાં લંકેશ એટલે કે રાવણની ભૂમિકા ભજવશે. હવે અહેવાલ છે કે અજય દેવગન આ ફિલ્મમાં ભગવાન શિવનું પાત્ર ભજવશે. જોકે આ અંગે મેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પ્રભાસ બનશે ભગવાન રામ

ઓમ રાઉતે પુષ્ટિ કરી હતી કે પ્રભાસ ફિલ્મ 'આદિપુરુષ' માં ભગવાન રામની ભૂમિકા ભજવશે. ભલે આ ફિલ્મમાં પ્રભાસ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે, પરંતુ સૈફ અલી ખાન અને અજય દેવગણની જોડી પર સૌની નજર રહેશે. 'તાન્હાજી: ધ અનસંગ વોરિયર' ફિલ્મમાં આ જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

સૈફઅલી ખાન બનશે લંકેશ

હાલમાં ફિલ્મ 'આદિપુરુષ' નું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ 2021 થી શરૂ થશે અને 2022 માં રિલીઝ થવાની સંભાવના છે. આ ફિલ્મનું શૂટિંગ હિન્દી, તેલુગુ સહિત ઘણી ભાષાઓમાં રીલીઝ કરવામાં આવશે, જ્યારે તામિળ, મલયાલમ અને કન્નડ સહિત આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે.

Read Next Story