એપશહેર

'સૂર્યવંશી'ના ફોટોમાં IPS ઓફિસરે દેખાડી ભૂલ, અક્ષય કુમારે કરી સ્પષ્ટતા

એક્ટર અક્ષય કુમારે શેર કરેલી આ તસવીરમાં રણવીર સિંહ ટેબલ પર બેઠો છો, જ્યારે અજય દેવગણ, અક્ષય કુમાર તથા રોહિત શેટ્ટી ઊભા છે.

I am Gujarat 26 Sep 2021, 9:10 pm

હાઈલાઈટ્સ:

  • 'ઈન્સ્પેક્ટર સાહેબ બેઠા છે અને SP સાહેબ ઊભા છે, આવું નથી હોતું'
  • ત્યારે અક્ષય કુમારે આ પોસ્ટ પર જવાબ આપતા લખ્યું કે, 'આ તો બિહાઈન્ડ ધ સીન છે.
  • રોહિત શેટ્ટીએ 'સૂર્યવંશી' આ દિવાળી પર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી.

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 1
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પોતાની અપકમિંગ ફિલ્મ 'સૂર્યવંશી'નો બિહાઈન્ડ ધી સીન એટલે કે શૂટિંગ સમયનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારે આ ફોટોગ્રાફ પર એક IPS ઓફિસરે પ્રતિક્રિયા આપતા તાત્કાલિક ભૂલ તરફ ધ્યાન દોર્યું છે.
વાત જાણે એમ છે કે અક્ષય કુમારે ફિલ્મ 'સૂર્યવંશી'નો બિહાઈન્ડ ધી સીન એટલે કે શૂટિંગ સમયનો જે ફોટો શેર કર્યો છે તેમાં રણવીર સિંહ એક ટેબલ પર બેઠો છે જ્યારે અક્ષય કુમાર, અજય દેવગણ અને રોહિત શેટ્ટી ઊભા હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. જેમાં 'સિંઘમ' અજય દેવગણ અને 'સૂર્યવંશી' અક્ષય કુમારની સરખામણીમાં 'સિમ્બા' એટલે કે રણવીર સિંહનો હોદ્દો નીચો છે. ત્યારે આ ફોટો પર પ્રતિક્રિયા આપતા IPS ઓફિસરે લખ્યું કે 'રિયલ લાઈફમાં એક ઈન્સ્પેક્ટર પોતાના સિનિયર્સ સામે આ રીતે બેસી શકે નહીં'

એક્ટર અક્ષય કુમારે શેર કરેલી આ તસવીરમાં રણવીર સિંહ ટેબલ પર બેઠો છો, જ્યારે અજય દેવગણ, અક્ષય કુમાર તથા રોહિત શેટ્ટી ઊભા છે. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા આરકે વિજે લખ્યું કે, 'ઈન્સ્પેક્ટર સાહેબ બેઠા છે અને SP સાહેબ ઊભા છે, આવું નથી હોતું' ત્યારે અક્ષય કુમારે આ પોસ્ટ પર જવાબ આપતા લખ્યું કે, 'આ તો બિહાઈન્ડ ધ સીન છે. અમારા જેવા કલાકારો જ્યારે કેમેરા ઓન થાય એટલે એકદમ પ્રોટોકોલમાં આવી જઈએ છીએ. આપણા મહાન પોલીસ દળને હંમેશાં આદર. આશા છે કે તમે જ્યારે આ ફિલ્મ જોશો તો તમને પસંદ આવશે.'

અહીં નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં તારીખ 22 ઓક્ટોબરથી થિયેટર શરૂ કરવાનો નિર્ણય સામે આવતા જ મેકર્સે પોતાની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. છેલ્લાં 2 વર્ષથી થિયેટર રિલીઝની રાહ જોતી 20થી વધુ ફિલ્મોની રિલીઝની ધીમે-ધીમે જાહેરાત થઈ રહી છે, જેમાં '83', 'લાલ સિંહ ચઢ્ઢા', 'જયેશભાઈ જોરદાર' સહિતની ફિલ્મો સામેલ છે. મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ તરત જ રોહિત શેટ્ટીએ 'સૂર્યવંશી' આ દિવાળી પર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના રાજ્યોમાં 30 જુલાઈએ થિયેટર શરૂ થઈ ગયા પરંતુ, માત્ર હોલિવૂડ ફિલ્મો જ રિલીઝ થઈ હતી. અક્ષય કુમારની 'બેલ બોટમ' 19 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. અમિતાભની 'ચહેરે'નું કલેક્શન પણ ઓછું હતું. ત્યારે કંગનાની ફિલ્મ 'થલાઈવી' 10 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ, પરંતુ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ દેખાડી શકી નહોતી.

Read Next Story