એપશહેર

2020માં લગ્ન નહીં કરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર, કોરોના નહીં આ કારણ જવાબદાર!

બી-ટાઉન કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ વર્ષે ડિસેમ્બર મહિનામાં પરણી જશે તેવી ચર્ચા હતી. પરંતુ હવે રણબીર-આલિયાના ફેન્સને ના ગમે તેવા સમાચાર આવી રહ્યા છે. કપલના લગ્ન ટળી ગયા છે.

TIMESOFINDIA.COM 26 Aug 2020, 4:57 pm
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ડિસેમ્બરમાં થવાના હતા પરંતુ હવે લાગી રહ્યું છે કે, મહામારીની અસર આના પર પણ પડી છે. અમારા સહયોગી ઈટાઈમ્સને મળેલી એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે, સ્ટાર કપલે આ વર્ષે લગ્ન મુલતવી રાખ્યા છે. માત્ર કોરોના મહામારી નહીં અન્ય કારણ પણ આ માટે જવાબદાર છે.
I am Gujarat rk alia new


સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રોફેશનલ પ્રોજેક્ટના લીધે આગામી મહિનાઓમાં રણબીર અને આલિયા વ્યસ્ત રહેશે. પરિણામે તેમના લગ્ન 2021 સુધી પાછા ઠેલાયા છે. ચર્ચાઓ તો એવી પણ છે કે, આલિયા ભટ્ટે લગ્ન માટે લહેંગો ડિઝાઈન કરવા સબ્યસાચીની મુલાકાત પણ લીધી હતી અને હવે લહેંગો તૈયાર કરવાનું કામ પણ ખોરંભે ચડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઋષિ કપૂરનું અવસાન થયું ત્યારે આલિયા ભટ્ટ કપૂર પરિવારની પડખે ઊભી હતી. આલિયા ભટ્ટ કપૂર પરિવારના દરેક ફંક્શનમાં જોવા મળે છે. ડિસેમ્બર 2019માં કપૂર પરિવારના ક્રિસમસ બ્રંચમાં જોવા મળી હતી. જે બાદ ઋષિ કપૂરના અવસાન પછી આલિયા, તેની બહેન અને મમ્મી નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર સાથે સમય વિતાવવા તેમના ઘરે ગયા હતા. ઉપરાંત નીતૂ કપૂરની બર્થ ડે પાર્ટી તેમજ રક્ષાબંધન વખતે પણ આલિયા કપૂર પરિવાર સાથે જોવા મળી હતી. મહામારી પહેલા ઘણીવાર ભટ્ટ અને કપૂર પરિવારે મુલાકાત કરી હતી, જેનાથી આ કપલના લગ્ન ડિસેમ્બરમાં હોવાની ચર્ચા ગરમ હતી. જો કે, હવે લગ્ન 2021માં થઈ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો