એપશહેર

ડોક્ટરનું નથી માની રહ્યા અમિતાભ બચ્ચન! આરામની સલાહ છતાં 18 કલાકની શિફ્ટ કરી

Yogesh Gajjar | I am Gujarat 17 Nov 2019, 10:15 am
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત પાછલા કેટલાક દિવસોથી ખરાબ છે. થોડા દિવસો પહેલા આ કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું. હવે અમિતાભને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે. જોકે અમિતાભે ડોક્ટરોની સલાહ પર વધારે ધ્યાન આપ્યું નથી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: હાલના એક બ્લોગ પોસ્ટમાં બિગ બીએ જણાવ્યું કે તેમણે એક દિવસમાં 18 કલાકની શિફ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે તેમનું જૂનું કામ બાકી હતુ અને હોસ્પિટલમાં જવાના કારણે કામ ન થઈ શક્યું. અમિતાભ બચ્ચને જણાવ્યું કે એક જ દિવસમાં તેમણે સુપરહિટ ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના 3 એપિસોડ શૂટ કરી લીધા. તેમણે બ્લોગમાં લખ્યું, ‘હા સર, હું કામ કરું છું. હું રોજ કામ કરું છું. મેં કાલે પણ કામ કર્યું હતું જે 18 કલાકમાં ખતમ થયું. તેના દ્વારા મને પ્રેમ અને આશીર્વાદ મળે છે.’ જણાવી દઈએ કે તબિયત ખરાબ હોવાના કારણે અમિતાભ 25મા કલકત્તા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં નહોતા જઈ શક્યા. તેના ઉદ્ધાટન સમારોહમાં અમિતાભ પાછલા 6 વર્ષથી સતત ઉપસ્થિત રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો