એપશહેર

ખેડૂત પ્રદર્શન: અમિતાભ બચ્ચને ગોળ ગોળ ટ્વીટ કર્યું, લોકોએ કહ્યું-સીધું કહી દો કઈ બાજું છો?

ખેડૂત પ્રદર્શન પર અમેરિકન પોપ સ્ટાર રિહાનાના ટ્વીટ બાદ બોલિવૂડ-ક્રિકેટના ઘણા સેલેબ્સ ટ્વીટ કરી ચૂક્યા છે.

I am Gujarat 4 Feb 2021, 3:38 pm
કેન્દ્ર સરકારના વિવાદિત કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતો 2 મહિનાથી વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે. હાલમાં જ રિહાના, મિયા ખલીફા, મીના હૈરિસ અને ગ્રેટા થનબર્ગ જેવા ઈન્ટરનેશનલ સેલેબ્રિટીઓએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરતા ફરી એકવાર સમગ્ર આંદોલન ચર્ચામાં આવી ગયું હતું. આ બાદ અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, અજય દેવગણ, કંગના રનૌત, લતા મંગેશકર, સચિન તેંડુલકર જેવા લોકોએ સરકારના સમર્થનમાં ટ્વીટ કર્યા અને તેને ભારતનો આંતરિક મામલો બતાવ્યો હતો.
I am Gujarat big


જોકે આટલા બધા બોલિવૂડ સેલેબ્સના ટ્વીટ કર્યા બાદ હજુ સુધી અમિતાભ બચ્ચને કોઈ ટ્વીટ નહોતું કર્યું, પરંતુ તેમણે ગોળ-ગોળ ફેરવીને ટ્વીટ કર્યું છે, જેના કારણે લોકો તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે તેઓ આખરે કોને સપોર્ટ કરી રહ્યા છે, ખેડૂતોને અથવા પછી સરકારને? અમિતાભ બચ્ચને ટ્વીટમાં લખ્યું, તર્કનો જવાબ તો તર્કમાં આપી શકાય છે, પરંતુ વિશ્વાસનો જવાબ તર્કની પાસે નથી હોતો.

જેના પર લોકો અમિતાભ બચ્ચનના સીધા-સીધા શબ્દોમાં ટ્વીટ કરવાની માગણી કરી રહ્યા છે. જોકે કેટલાક એવું પણ માને છે કે અમિતાભ છુપાયેલા શબ્દોમાં સરકારને સપોર્ટ કરી રહ્યા ચે. નીચે, જુઓ લોકોની પ્રતિક્રિયાઓ...

ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલન પર પોપ સ્ટાર રિહાનાના ટ્વીટ પછી આ મુદ્દો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. અનેક સેલેબ્સ અને ગ્રેટા થનબર્ગ સહિત અનેક ઈન્ટરનેશનલ એક્ટિવિસ્ટ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યાં છે. રિહાના પછી પોર્નસ્ટાર મિયા ખલિફાએ પણ આ મામલે ટ્વીટર પર લખ્યું હતું. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્વીટર વોર પછી વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે કશી જ જાણકારી વગર કંઈપણ કહેવું તે ખૂબ જ ખોટું છે. કૃષિ કાયદાઓ ભારતની સંસદમાંથી પસાર થયા છે. હવે બોલિવૂડ એક્ટર્સ અક્ષય કુમાર અને અજય દેવગન ભારતની ઈમેજને ખરાબ ચીતરતાં આ ટ્વીટ્સના વિરોધમાં આવ્યા છે. તેમણે દેશના લોકોને સંપીને રહેવાની અપીલ કરી છે.

Read Next Story