એપશહેર

આ કારણે નેશનલ એવોર્ડ સેરેમનીમાં નહીં જાય અમિતાભ બચ્ચન

Shailesh Thakkar | I am Gujarat 22 Dec 2019, 10:03 pm
દિલ્હીમાં 23મી ડિસેમ્બરમાં થનારી નેશનલ એવોર્ડ્ઝ સેરેમનીમાં અમિતાભ બચ્ચન હિસ્સો નહીં લે. આ માટેનું કારણ તેમણે ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. એક્ટરે જણાવ્યું કે, તેમને તાવ આવી ગયો છે, જેના કારણે ડૉક્ટરે તેમને ટ્રાવેલ ન કરવા માટેની સલાહ આપી છે. ‘મને તાવ આવી ગયો છે અને મને ટ્રાવેલિંગ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. હું આવતીકાલે દિલ્હીમાં થનારા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં શામેલ નહીં થઈ શકૂ. આ ઘણું દુ:ખજનક છે.’ હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ફેન્સે અમિતાભની ટ્વીટ વાંચી તેઓ જલ્દી સ્વસ્થ થાય તેની કામના કરી, સાથે જ તેમણે એક્ટરને પોતાના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની સલાહ આપી છે. ગત મહિને પણ અમિતાભની તબિયત ખરાબ થઈ હતી જે કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું.
જણાવી દઈએ કે, સોમવારે યોજાનારા સમારોહમાં અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થવાનો છે. વિક્કી કૌશલ અને આયુષ્માન ખુરાનાને નેશનલ એવોર્ડ મળ્યો છે. જ્યારે સાઉથ ઈન્ડિયાની એક્ટ્રેસ કીર્તિ સુરેશને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ ફિલ્મ માટે આયુષ્માનની ફિલ્મ ‘અંધાધુન’ને સિલેક્ટ કરવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો