કરીના કપૂર ખાન અને અનુષ્કા શર્મા બાદ એક્ટ્રેસ અમૃતા રાવ પણ પ્રેગ્નેન્ટ છે. મુંબઈમાં ડૉક્ટરના ક્લિનિકની બહાર અમૃતા પતિ RJ અનમોલની તસવીર વાયરલ થઈ હતી. તસવીરમાં અમૃતાનો બેબી બંપ દેખાઈ રહ્યો હતો. તસવીર વાયરલ થયા બાદ અમૃતાએ બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં પ્રેગ્નેન્સીના ન્યૂઝ કન્ફર્મ કર્યા હતા. હવે અમારા સહયોગી મુંબઈ મિરરને અમૃતાએ મા બનવાની જર્ની, મેન્ટલ હેલ્થ અને પતિ આ દરમિયાન કેવી કાળજી રાખે છે તે વિશે જણાવ્યું છે.
મા બનવા વિશે 'વિવાહ'ની એક્ટ્રેસ અમૃતા રાવે કહ્યું, "આ અમારું બાળપણ ફરીથી જીવવા સમાન છે. જો કે, હું જલદી જ મા બની જઈશ એ વાત હજી સ્વીકારી નથી શકી. કુદરત શું કરિશ્મા કરી શકે છે તે સમજવા માટે બાળકનું તમારી સામે હોવું જરૂરી છે." અમૃતાએ કહ્યું કે, પતિ અનમોલે રિપોર્ટ જોયા હતા અને પ્રેગ્નેન્સીની જાણ તેને કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાત વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 15 મે 2016ના રોજ અનમોલ અને અમૃતાએ લગ્ન કર્યા હતા. 34 વર્ષીય અમૃતાને પૂછવામાં આવ્યું કે, શું તેમણે 2020માં ફેમિલી આગળ વધારવાનું પ્લાનિંગ કરી રાખ્યું હતું? એક્ટ્રેસે કહ્યું, "આ બધી બાબતોમાં કોઈ પ્લાનિંગની જરૂર નથી હોતી, બસ થઈ જાય છે."
કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે અમૃતાનું માનવું છે કે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખૂબ અગત્યનું છે. અમૃતાએ કહ્યું, "બાળક પણ આ વાત સમજે છે અને કોઈ માગ નથી કરતું. મને કંઈ ખાસ વસ્તુ ખાવાની ઈચ્છા થતી નથી. હું જે પણ ખાઉં તેમાં બાળક ખુશ રહે છે." અનમોલ હાલ અમૃતાને ખૂબ કાળજી લઈ રહ્યો છે.
અમૃતાએ કહ્યું, "હાલ અનમોલ વર્ક ફ્રોમ હોમ કરતો હોવાથી અમે ઘણો સમય સાથે વિતાવીએ છીએ. રોજ રાત્રે અનમોલ મને અને બાળકને ભગવદગીતાનો એક અધ્યાય વાંચીને સંભળાવે છે." અનમોલ અને અમૃતા બંનેને જૂના જમાનાના ગીતો પસંદ છે. ત્યારે 'જીવન કી બગીયા મહેકેગી' તેમનું મનપંસદ છે. હાલ તેઓ જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, તેના માટેની ગીતની પર્ફેક્ટ કડી પણ મળી ગઈ છે. 'થોડા હમારા, થોડા તુમ્હારા, આયેગા બચપન ફિર સે હમારા', આ પંક્તિને હાલ અમૃતા અને અનમોલ જીવી રહ્યા છે.
લોકડાઉન શરૂ થયું ત્યારે અનમોલ અને અમૃતાએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સેશન કર્યું હતું. આ દરમિયાન એક ચાહકે તેમને વિનંતી કરી હતી કે, તેમને દીકરીનું નામ પાડી આપે. ત્યારે તેમણે દેવિકા નામ પાડ્યું હતું. અમૃતાનું કહેવું છે કે, આ બ્રહ્માંડ તરફથી મળેલો સંકેત હતો કે, અમે પણ અમારો પરિવાર વિસ્તારીએ. "અમે પહેલીવાર સાથે આ રીતે લાઈવ કર્યું હતું અને ફેન તરફથી આ વિનંતી કરવામાં આવી હતી. જો કે, અમે હજી અમારા આવનારા બાળક માટે કોઈ નામ વિચાર્યું નથી", તેમ અમૃતાએ કહ્યું.
લોકડાઉન દરમિયાન અમૃતાએ બે પ્રોજેક્ટ સાઈન કર્યા હતા પરંતુ શરૂ થવામાં વિલંબ થયો છે. તેણે કહ્યું, "મને લાગે છે કે ટાઈમિંગ મારી તરફેણમાં છે. કામ આગળ વધશે, કેવી રીતે અને ક્યારે તેનો રસ્તો શોધી લઈશું."
મા બનવા વિશે 'વિવાહ'ની એક્ટ્રેસ અમૃતા રાવે કહ્યું, "આ અમારું બાળપણ ફરીથી જીવવા સમાન છે. જો કે, હું જલદી જ મા બની જઈશ એ વાત હજી સ્વીકારી નથી શકી. કુદરત શું કરિશ્મા કરી શકે છે તે સમજવા માટે બાળકનું તમારી સામે હોવું જરૂરી છે." અમૃતાએ કહ્યું કે, પતિ અનમોલે રિપોર્ટ જોયા હતા અને પ્રેગ્નેન્સીની જાણ તેને કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાત વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 15 મે 2016ના રોજ અનમોલ અને અમૃતાએ લગ્ન કર્યા હતા. 34 વર્ષીય અમૃતાને પૂછવામાં આવ્યું કે, શું તેમણે 2020માં ફેમિલી આગળ વધારવાનું પ્લાનિંગ કરી રાખ્યું હતું? એક્ટ્રેસે કહ્યું, "આ બધી બાબતોમાં કોઈ પ્લાનિંગની જરૂર નથી હોતી, બસ થઈ જાય છે."
કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે અમૃતાનું માનવું છે કે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખૂબ અગત્યનું છે. અમૃતાએ કહ્યું, "બાળક પણ આ વાત સમજે છે અને કોઈ માગ નથી કરતું. મને કંઈ ખાસ વસ્તુ ખાવાની ઈચ્છા થતી નથી. હું જે પણ ખાઉં તેમાં બાળક ખુશ રહે છે." અનમોલ હાલ અમૃતાને ખૂબ કાળજી લઈ રહ્યો છે.
અમૃતાએ કહ્યું, "હાલ અનમોલ વર્ક ફ્રોમ હોમ કરતો હોવાથી અમે ઘણો સમય સાથે વિતાવીએ છીએ. રોજ રાત્રે અનમોલ મને અને બાળકને ભગવદગીતાનો એક અધ્યાય વાંચીને સંભળાવે છે." અનમોલ અને અમૃતા બંનેને જૂના જમાનાના ગીતો પસંદ છે. ત્યારે 'જીવન કી બગીયા મહેકેગી' તેમનું મનપંસદ છે. હાલ તેઓ જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, તેના માટેની ગીતની પર્ફેક્ટ કડી પણ મળી ગઈ છે. 'થોડા હમારા, થોડા તુમ્હારા, આયેગા બચપન ફિર સે હમારા', આ પંક્તિને હાલ અમૃતા અને અનમોલ જીવી રહ્યા છે.
લોકડાઉન શરૂ થયું ત્યારે અનમોલ અને અમૃતાએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સેશન કર્યું હતું. આ દરમિયાન એક ચાહકે તેમને વિનંતી કરી હતી કે, તેમને દીકરીનું નામ પાડી આપે. ત્યારે તેમણે દેવિકા નામ પાડ્યું હતું. અમૃતાનું કહેવું છે કે, આ બ્રહ્માંડ તરફથી મળેલો સંકેત હતો કે, અમે પણ અમારો પરિવાર વિસ્તારીએ. "અમે પહેલીવાર સાથે આ રીતે લાઈવ કર્યું હતું અને ફેન તરફથી આ વિનંતી કરવામાં આવી હતી. જો કે, અમે હજી અમારા આવનારા બાળક માટે કોઈ નામ વિચાર્યું નથી", તેમ અમૃતાએ કહ્યું.
લોકડાઉન દરમિયાન અમૃતાએ બે પ્રોજેક્ટ સાઈન કર્યા હતા પરંતુ શરૂ થવામાં વિલંબ થયો છે. તેણે કહ્યું, "મને લાગે છે કે ટાઈમિંગ મારી તરફેણમાં છે. કામ આગળ વધશે, કેવી રીતે અને ક્યારે તેનો રસ્તો શોધી લઈશું."