એપશહેર

અંકિતા લોખંડેનું ચોંકાવનારું નિવેદન, 'હા, સુશાંતને પજવતી હતી રિયા ચક્રવર્તી'

સુશાંતના પિતાના આરોપો બાદ હવે એક્સ ગર્લફ્રેન્ડનું પણ ચોંકાવનારું નિવેદન, વધી શકે છે રિયાની મુશ્કેલીઓ

I am Gujarat 29 Jul 2020, 10:12 pm
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં દરરોજ ચોંકાવનારી વાતો સામે આવી રહી છે. મંગળવારે સુશાંતના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવતા FIR નોંધાવી. હવે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે બિહાર પોલીસ સાથે કેસથી જોડાયેલી જાણકારી શેર કરી છે.
I am Gujarat ankita lokhande told bihar police that rhea chakraborty was harassing sushant singh rajput
અંકિતા લોખંડેનું ચોંકાવનારું નિવેદન, 'હા, સુશાંતને પજવતી હતી રિયા ચક્રવર્તી'


અસલમાં જ્યારે બિહાર પોલીસે અંકિતા લોખંડેનો સંપર્ક કર્યો ત્યારે તેણે ઘણી બધી વાતો જણાવી. અંકિતાએ જણાવ્યું કે ફિલ્મ 'મણિકર્ણિકા'ના પ્રમોશન દરમિયાન સુશાંતે તેને વિશ કરવા માટે મેસેજ કર્યો હતો.

રિલેશનશિપની પરેશાન હતો સુશાંત

અંકિતાના કહેવા પ્રમાણે, ફિલ્મ માટે શુભેચ્છા આપ્યા બાદ બંને વચ્ચે ઘણી વાતચીત થઈ. આ દરમિયાન સુશાંત ઘણો ભાવુક થઈ ગયો અને જણાવ્યું કે, તે રિયા સાથેના રિલેશનશિપથી ખૂબ પરેશાન થઈ ચૂક્યો છે અને હવે તેને ખતમ કરવા માગે છે. સુશાંતે જણાવ્યું હતું કે, રિયા તેને ખૂબ હેરાન કરી રહી છે.

અંકિતાએ કરી ટ્વીટ


હવે બિહાર પોલીસ આ એંગલથી પણ કેસની તપાસ કરી રહી છે. આ બધાની વચ્ચે અંકિતા બુધવારે ટ્વીટ પણ કરી. તેણે એક તસવીર શેર કરી જેમાં લખ્યું, 'ટ્રૂથ વિન્સ' મતલબ કે સત્યની જીત થાય છે.

રિયાએ કરી તપાસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માગણી

બીજી તરફ રિયાએ આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેણે માંગણી કરી છે કે, બિહારમાં નોંધવામાં આવેલી FIRની તપાસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે જ્યાં પહેલેથી આ કેસની તપાસ ચાલી રહી છે. તેનું કહેવું છે કે, પોલીસ એક કેસની તપાસ બે જગ્યાએ ન કરી શકે. રિયાના વકીલ સતીશ મનશિંદેએ કહ્યું કે, જ્યારે પહેલેથી મુંબઈમાં તપાસ ચાલી રહી છે અને લોકોને તેની સંપૂર્ણ જાણકારી છે તો બિહારમાં આ કેસમાં એક જ ઘટના પર કેસ નોંધવો ગેરકાયદેસર છે.

Read Next Story