એપશહેર

'Aryan Khanને ક્લીન ચીટ નથી અપાઈ', પુરાવા ના હોવાના અહેવાલો વહેતાં થતાં NCBએ કરી સ્પષ્ટતા

આર્યન ખાન (Aryan Khan Drugs Case) વિરુદ્ધ કોઈ પુરાવા ના મળ્યા હોવાના અહેવાલો વહેતા થયા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમના વડા સંજય સિંહે પ્રતિક્રિયા આપી છે. મીડિયામાં વહેતા થયેલા અહેવાલો માત્ર ધારણાં હોવાનું અને હાલ કેસ અંગે કંઈ પણ કહેવાનું ઉતાવળ ગણાશે તેમ સંજય સિંહે જણાવ્યું છે.

Authored byશિવાની જોષી | etimes.in 2 Mar 2022, 5:00 pm

હાઈલાઈટ્સ:

  • ઓક્ટોબર 2021માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા.
  • ક્રૂઝ પર કથિત રીતે રેવ પાર્ટી ચાલતી હતી અને તેમાંથી આર્યન ખાન ઝડપાયો હતો.
  • આર્યન ખાન લગભગ એક મહિના સુધી જેલમાં રહ્યો હતો અને ત્યારબાદ જામીન પર મુક્ત થયો હતો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ARYAN KHAN NCB
આર્યન ખાનને ક્લીન ચીટ નથી અપાઈ. હાલ કંઈપણ કહેવું ઉતાવળ ગણાશે.
બુધવારે સવારે મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસ (Mumbai Cruise Drugs Case)માં આર્યન ખાને (Aryan Khan) ષડયંત્ર રચ્યું હોય તેવા કોઈ પુરાવા નથી મળ્યા. જ્યારે અમારા સહયોગી ઈટાઈમ્સે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની મુંબઈ ટીમના નજીકના સૂત્રોનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ અહેવાલો ફગાવતાં કહ્યું, "હાલ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી NCBએ લીધેલાં પગલાં ખોટા છે કે કેમ તે ના કહી શકીએ."
Pathaan Movie Teaser : ‘દેશ કો અપના ધર્મ માન લિયા’, શાહરુખની ફિલ્મ Pathaanનું ધમાકેદાર ટીઝર રીલિઝ થયું, જોવા મળી દેશભક્તિની ઝલક

હાલ આ કેસની તપાસ દિલ્હી NCBની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ કરી રહી છે. NCBના DDG ઓપરેશન્સ સંજય સિંહે કહ્યું કે, કોઈ પુરાવા નથી મળ્યા તેમ કહેવું હાલના તબક્કે ખોટું ગણાશે. દિલ્હીની એનસીબીની એસઆઈટી ટીમના હેડ સંજય સિંહે કહ્યું કે, આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ હજી પૂરી નથી થઈ. "આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા તેમ કહેવું અત્યારે ઉતાવળભર્યું ગણાશે. કોઈ મોટા ષડયંત્ર કે ઈન્ટરનેશનલ ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટનો ભાગ છે કે કેમ તે અત્યારે કહી શકાય તેમ નથી. હજી સુધી આર્યનને ક્લીન ચીટ આપવામાં આવી નથી", તેમ તેમણે ઉમેર્યું.

આર્યન ખાન સામે કોઈ પુરાવા નથી મળ્યા તેવા અહેવાલોને ફગાવતા સંજય સિંહે આગળ કહ્યું, 'આર્યન ખાન સામે પુરાવા નથી તેમ કહેવું ઉતાવળિયું ગણાશે. અમારી તપાસ હજી પણ ચાલી રહી છે અને અમે આ મામલે અનેક નિવેદનો નોંધ્યા છે પરંતુ અમે નિર્ણય સુધી પહોંચ્યા નથી. આર્યન ખાન સામે કોઈ પુરાવા નથી તેવા મીડિયા રિપોર્ટની વાત છે તો કહી દઉં કે તેમાં કોઈ તથ્ય નથી માત્ર ધારણાઓ છે. આ નિવેદનોને પબ્લિશ કરતાં પહેલા NCB સાથે ક્રોસ ચેક કરવામાં આવ્યું નથી. તપાસ હજી ચાલુ છે અને હાલ કંઈ પણ કહેવું ઉતાવળ ગણાશે.'

Sanah Kapurની મહેંદી સેરેમનીમાં સુપ્રિયા-રત્ના પાઠકે કર્યો ડાન્સ, માસીએ ચૂડો પહેરાવતાં ઈમોશનલ થઈ શાહિદની બહેન

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2021માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. અહીં કથિત રેવ પાર્ટી ચાલતી હતી જેમાંથી સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન પણ પકડાયો હતો. આર્યન લગભગ એક મહિના સુધી જેલમાં રહ્યો હતો અને બોમ્બે હાઈકોર્ટે તેને શરતી જામીન પર મુક્ત કર્યો હતો.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story