એપશહેર

અયાન મુખર્જીએ ફેન્સને આપ્યું વચન, બ્રહ્માસ્ત્રના આગામી બન્ને ભાગમાં સુધારશે પાર્ટ 1ની આ ભૂલ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રીલિઝ થઈ ગઈ છે અને ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા મળી છે. ફિલ્મના ડાયલોગ અને સ્ક્રીનપ્લેની દર્શકોએ તેમજ સમીક્ષકોએ ટીકા કરી છે. ડાઈરેક્ટર અયાન મુખર્જીએ પણ આ વાત સ્વીકારી છે અને દર્શકોને વચન આપ્યું છે કે આગામી બન્ને ભાગમાં તે ડાયલોગ અને સ્ટોરી પર ધ્યાન આપશે.

Edited byZakiya Vaniya | TNN 27 Sep 2022, 9:41 am
I am Gujarat Brahmastra
અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્ર પાછળ 10 વર્ષ આપ્યા.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રનો પ્રથમ ભાગ નવમી સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ અને બોયકોટના વંટોળ વચ્ચે પણ બોક્સ ઓફિસ પર પ્રમાણમાં સારી કમાણી કરી છે. ફિલ્મ જોયા પછી લોકો તેના આગામી ભાગની ચર્ચા કરી રહ્યા છે. અયાન મુખર્જી અને ફિલ્મના એક્ટર્સ પણ આગામી બન્ને ભાગ વિશે વાત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મના VFXના ખૂબ વખાણ થયા છે, પરંતુ ડાયલોગ અને સ્ટોરીની સમીક્ષકોએ પણ ટીકા કરી છે. લોકોનું માનવું છે કે ફિલ્મના ડાયલોગ લખવામાં મેકર્સે વેઠ ઉતારી છે. અને આ ભૂલ ડાઈરેક્ટર અયાન મુખર્જીએ સ્વીકારી પણ છે.

શાહરુખ ખાનની 'જવાન'એ રિલીઝ પહેલા કેવી રીતે કરી 250 કરોડની કમાણી?
ઉલ્લેખનીય છે કે ફિલ્મના ડાયલોગની સાથે સાથે આલિયા ભટ્ટના પાત્ર ઈશા દ્વારા આખી ફિલ્મમાં શિવાના નામની બૂમો પાડવામાં આવી તેની લોકોએ ટીકા કરી અને મીમ્સ પણ ખૂબ બન્યા. આલિયા, રણબીર અને અયાને જણાવ્યું કે તેઓ આ તમામ મીમ્સ અને લોકોના રિએક્શન જોઈ રહ્યા છે. આ સિવાય અયાને જણાવ્યું કે, તેને પોતાને આ પ્રકારની આદત છે. તે વાત કરતી વખતે સામે વાળી વ્યક્તિનું નામ અવારનવાર લેતો હોય છે. અયાને દલીલ કરી કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો તમને તેનું નામ લેવાનું ગમે છે અને આ જ કારણોસર ઈશા વારંવાર શિવા શિવા કરે છે.

બ્રહ્માસ્ત્રના આગળના ભાગ વિશે વાત કરતાં અયાને જણાવ્યું કે, આ એક મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ છે અને ફિલ્મ બનાવવાનો અનુભવ ઘણો પડકારજનક હતો. અમે પાર્ટ 2માં પણ આ જ ગુણવત્તા જાળવી રાખીશું પણ વધારે સારા ડાયલોગ રાખીશું અને સ્ટોરીટેલિંગને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરીશું. સિક્વલ બનાવવામાં હજી 2-3 વર્ષનો સમય લાગી શકે છે. અમે તમને આવતા જ વર્ષે બીજો ભાગ આપી શકતા તો ઘણું સારુ હતું, પરંતુ તે લગભગ અશક્ય છે.

આશા કરતા ઘણું ઓછું રહ્યું 'વિક્રમ વેધા'નું પહેલા દિવસનું એડવાન્સ બુકિંગ
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક વાતચીત દરમિયાન અયાન મુખર્જીએ જણાવ્યુ હતું કે, આ એક લવ સ્ટોરી છે અને શિવાને પોતાના પ્રેમના માધ્યમથી શક્તિ મળે છે. પરંતુ પાર્ટ 2- દેવ વધારે રસપ્રદ હશે અને તેમાં ઘણાં કોન્ફ્લિક્ટ જોવા મળશે. તેમાં ડ્રામા વધારે હશે. અને પાર્ટ 3માં તેનાથી વધારે કોન્ફ્લિક્ટ જોવા મળશે. તમને જણાવી દઈએ કે અયાન મુખર્જીએ આ ફિલ્મ પાછળ 10 વર્ષ આપ્યા છે. ફિલ્મમાં આલિયા અને રણબીર સિવાય અમિતાભ બચ્ચન, મૌની રૌય અને નાગાર્જુન મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનનો પણ કેમિયો હતો, જે લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો