એપશહેર

'બાઝિગર'માં શાહરુખ પર ભારે પડ્યો હતો એક્ટર સિદ્ધાર્થ રે, માત્ર 40ની ઉંમરે થયું હતું નિધન

baazigar fame actor siddharth ray: એક્ટ્રેસ શાંતિપ્રિયાએ 'બાઝિગર' ફેમ એક્ટર સિદ્ધાર્થ રે સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પણ, વર્ષ 2004માં એક્ટર સિદ્ધાર્થ રેનું હાર્ટ અટેકથી અવસાન થયું. ત્યારે એક્ટર સિદ્ધાર્થ રેની ઉંમર માત્ર 40 વર્ષ હતી. શાંતિપ્રિયા અને એક્ટર સિદ્ધાર્થ રેના 2 બાળકો છે. તેમના નામ શુભમ રે અને શિષ્ય રે છે.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 4 Mar 2023, 4:36 pm
વર્ષ 1993માં આવેલી ફિલ્મ 'બાઝિગર' (Baazigar)માં પોલીસ ઈન્સ્પેક્ટર કરણ સક્સેનાના રોલમાં એક્ટર સિદ્ધાર્થ રે (Siddharth Ray) જોવા મળ્યો હતો. તેણે ફિલ્મનો આ રોલ (baazigar fame actor siddharth ray) એટલી સુંદર રીતે ભજવ્યો હતો કે બોલ્યા વગર જ બધી વાત દર્શકોના દિલમાં ઉતરી ગઈ હતી. સિદ્ધાર્થ રે બોલિવૂડના નિર્માતા-નિર્દેશક વી. શાંતારામના પૌત્ર હતા. બાળપણથી જ સિદ્ધાર્થને અભિનયનો શોખ હતો. વર્ષ 2004માં એક્ટર સિદ્ધાર્થ રેનું હાર્ટ અટેકથી અવસાન થયું.
I am Gujarat baazigar fame actor siddharth ray
વર્ષ 2004માં એક્ટર સિદ્ધાર્થ રેનું હાર્ટ અટેકથી અવસાન થયું

સિદ્ધાર્થ રે (Sushant Ray)નું સાચું નામ સુશાંત રે હતું અને તેનો જન્મ એવા પરિવારમાં થયો હતો જ્યાં તે બાળપણથી જ ફિલ્મો વિશે બધું જ સાંભળતો અને જોતો હતો. સિદ્ધાર્થના પિતા સુબ્રતો રે બંગાળી અર્થશાસ્ત્રી હતા. સિદ્ધાર્થનો જન્મ એવા પરિવારમાં થયો હતો જે સુખી હતો. તે દાદરમાં એક સરસ મકાનમાં રહેતો હતો. સિદ્ધાર્થના પિતા બોમ્બે પોર્ટ ટ્રસ્ટમાં મુખ્ય આર્થિક સલાહકાર હતા.
એક્ટર શાહરુખ ખાનની ફિલ્મ 'બાઝિગર'માં સિદ્ધાર્થનો રોલ ભલે નાનો હતો, પરંતુ તે પોતાના પાત્રમાં દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યો હતો. આ ફિલ્મનું ગીત 'છુપાના ભી નહીં આતા' ઘણું ફેમસ થયું હતું. ફિલ્મના ઘણાં સીન્સમાં સિદ્ધાર્થ, શાહરૂખ કરતા ભારે પડતો જોવા મળ્યો હતો. આ સિવાય સિદ્ધાર્થ ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યો કે જેમાં 'પરવાને', 'પહેચાન', 'ગંગા કા વચન', 'તિલક' અને 'મિલિટરી રાજ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિદ્ધાર્થ, સુશાંત રેના નામથી ઓળખાય છે. મરાઠી ફિલ્મ 'અશી હી બનવા બનવી' તેની સફળ મરાઠી ફિલ્મોમાંની એક ગણાય છે. સિદ્ધાર્થની ગણતરી ટોચના મરાઠી અભિનેતા લક્ષ્મીકાંત બર્ડે, અશોક સરાફ અને સચિન જેવા સ્ટાર્સની યાદીમાં થાય છે. તેની છેલ્લી ફિલ્મ 'ચરસઃ અ જોઈન્ટ ઓપરેશન' હતી જે 2004માં રિલીઝ થઈ હતી, તે જ વર્ષે અભિનેતા સિદ્ધાર્થનું નિધન થયું હતું.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story