એપશહેર

સુબ્રમણ્યમ સ્વામીનો દાવો - સુશાંતના મોત પાછળ હોઈ શકે છે આ બે કારણ

ભાજપના નેતા અને સાંસદે ચકચારભર્યો દાવો કરતા સુશાંત સિંહ રાજપૂતના કથિત મર્ડર પાછળ આ બે 'મોટિવ' હોવાનું જણાવ્યું છે

I am Gujarat 2 Sep 2020, 7:41 pm
ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં CBI તપાસની વચ્ચે ચકચાર મચાવનારો દાવો ક્ર્યો છે. સ્વામી સુશાંત અને તેના પરિવાર માટે ન્યાયની માગણી કરી રહ્યા છે અને તેમણે એક્ટરના મોતના બે 'મોટિવ' શેર કર્યા છે.
I am Gujarat bjp leader subramanian swamy claims two motives behind sushant singh rajput alleged murder
સુબ્રમણ્યમ સ્વામીનો દાવો - સુશાંતના મોત પાછળ હોઈ શકે છે આ બે કારણ


સ્વામીને લાગે છે કે, સુશાંતની 'હત્યા' પાછળ બે મોટિવ્સ હોઈ શકે છે. તેમણે ટ્વીટર પર પહેલો મોટિવ શેર કર્યું અને કહ્યું કે, થોડા સમયમાં બીજો મોટિવ શેર કરશે. સ્વામીએ કહ્યું કે, દિવંગત એક્ટર 'બોલિવૂજ કાર્ટેલ' માટે ઘણો સ્વતંત્ર અને ટેલેન્ટેડ એક્ટર હતો.

મુકાબલો ન કરી શક્યા તો કરી દીધો એલિમિનેટ


સ્વામીએ ટ્ટીટ કરી, 'સુશાંતની હત્યાનું પહેલું મોટિવ સ્પષ્ટ છે. તે ઈન્ડિપેન્ડેન્ટ, ટેલેન્ટેડ હતો અને બોલિવૂડ કાર્ટેલ તેને ઈગ્નોર કરી શકતી નહોતી. તેઓ તેનો મુકાબલો ન કરી શક્યા તો એલિમિનેટ કરી દીધો. બીજું મોટિવ બાદમાં જણાવીશ જે પૉલિટિકલ છે પણ મારે વધુ રિસર્ચની જરૂર છે.'

સુશાંતના પિતાએ નોંધાવી હતી FIR

જણાવી દઈએ કે, સુશાંતના મોતને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. તે 'કાઈ પો છે', 'એમ એસ ધોની', 'છિછોરે' જેવી ફિલ્મો માટે જાણીતો હતો. તેના મોતથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તગડો ઝટકો લાગ્યો છે. સુશાંતના મોતના થોડા સમય બાદ તેના પિતા કેકે સિંહે એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ FIR નોંધાવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો