એપશહેર

બાહુબલીના ડિરેક્ટર રાજામૌલીને થયો કોરોના, ઘરે જ થયા ક્વોરન્ટીન

ડોક્ટરની સલાહ મુજબ રાજામૌલી અને તેમના પરિવારને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ડિરેક્ટરે પોતાના વેરિફાઈડ ટ્વીટર હેન્ડલથી આ વાતની માહિતી ફેન્સને આપી છે.

I am Gujarat 29 Jul 2020, 10:35 pm
પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલીના ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને હળવો તાવ હતો તપાસ કરતા કોરોના હોવાનું સામે આવ્યું. રાજામૌલીએ પોતાના વેરિફાઈડ ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને આ વાતની માહિતી ફેન્સને આપી છે.
I am Gujarat Rajamauli1


રાજામૌલીએ પોતાના ટ્વીટમાં લખ્યું 'મને અને મારા પરિવારને છેલ્લા ઘણા દિવસથી તાવ છે. જે ધીરે ધીરે ઓછો થઈ ગયો પરંતુ અમે ટેસ્ટ કરાવ્યો. પરિણામમાં સામે આવ્યું કે અમારામાં કોવિડ 19ના હળવા પોઝિટિવ લક્ષણો જોવા મળ્યાં છે. ડોક્ટરની સલાહ પર હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. હાલમાં અમારામાં કોઈ લક્ષણ નથી અને હવે તેઓ સારું અનુભવી રહ્યા છે તેમ છતાં અમે પ્રિકોશન્સ અને ઈન્સ્ટ્રક્શન ફોલો કરી રહ્યા છીએ.'
તેમણે વધુમાં લખ્યું'અમે રાહ જોઈ રહ્યા છીએ અને જલદી એન્ટીબોડી ડેવલપ થાય અને ત્યારે અમે પ્લાઝ્મા ડોનેટ કરી શકીશું' વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાજામૌલી ફિલ્મ RRR પર કામ કરી રહ્યા છે. ફિલ્મમાં એનટી રામા રાવ જૂનિયર લીડ રોડમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં રામચરણ, આલિયા ભટ્ટ, અજય દેવગણ અને શ્રેયા સરણ જોવા મળશે.

Read Next Story