એપશહેર

ફ્રાન્સમાં અન્નુ કપૂરનો કિંમતી સામાન ચોરાયો, રોષે ભરાઈને કહ્યું- અહીં એક નંબરના ચોર અને ખિસ્સાકાતરું લોકો ભરેલા છે

બોલિવૂડ અને ટીવી અભિનેતા અન્નુ કપૂરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બે વીડિયો શેર કરીને પોતાનો કડવો અનુભવ શેર કર્યો છે. ફ્રાન્સ ટ્રિપ દરમિયાન અન્નુ કપૂરની બેગ ચોરાઈ ગઈ હતી જેમાં તેમનો મોબાઈ, ક્રેડિટ કાર્ડ, આઈપેડ, પૈસા વગેરે કિંમતી સામાન હતો. આ સિવાય તેમણે ફ્રાન્સની ટ્રેન સર્વિસની પણ ફરિયાદ કરી છે.

Edited byZakiya Vaniya | TNN 23 Jun 2022, 9:52 am
I am Gujarat annu kapoor
અન્નુ કપૂરે વીડિયો શેર કરીને ઠાલવી વ્યથા.

બોલિવૂડ અભિનેતા અન્નુ કપૂરને વિદેશમાં કડવો અનુભવ થયો છે. તે ફ્રાન્સ જઈને મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. અન્નુ કપૂર તરફથી પ્રાપ્ત જાણકારી અનુસાર, ફ્રાન્સની રાજધાની પેરિસ પાસે લૂંટની ઘટના બની છે. અભિનેતાએ પોતે એક વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટનાની જાણકારી આપી છે. વીડિયોમાં અન્નુ કપૂર રોષે ભરાયેલા જણાતા હતા. તેમણે આ પ્રકારની પ્રવૃત્તિ કરનારા લોકો પર આક્રોશ ઠાલવ્યો અને અન્ય લોકોને સાવધાન રહેવાની અપીલ પણ કરી હતી.

અન્નુ કપૂરે જણાવ્યું કે સામાન બસમાં ચઢાવતી વખતે અમુક લોકો મદદના બહાને આવ્યા અને તેમની બેગ લઈને ફરાર થઈ ગયા. તે બેગમાં મોબાઈલ, આઈપેડ, ક્રેડિટ કાર્ડ, ડાયરી જેવી અનેક મહત્વની વસ્તુઓ હતી. અન્નુ કપૂર આ અનુભવને કારણે ખૂબ ગુસ્સે થયા હતા. તેમણે વીડિયોમાં કહ્યું કે, યૂરોપમાં તમે મુસાફરી કરો તો પોતાના સામાનનું ધ્યાન રાખો. અહીંના લોકો ખિસ્સાકાતરું, ચોર અને મક્કાર હોય છે.

View this post on Instagram A post shared by Annu Kapoor (@annukapoor)

અન્નુ કપૂરે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં કહ્યું કે, મારી પ્રાડા બેગ ચોરી થઈ ગઈ છે. તેમાં ઘણાં બધા સ્વિસ, ફ્રેંક અને યૂરો હતા. મારું આઈપેડ હતું, ડાયરી હતી, ક્રેડિટ કાર્ડ પણ હતું. એ લોકો આ બધું જ લઈ ગયા છે. તમે પણ જ્યારે પણ ફ્રાન્સ આવો ત્યારે સાવધાન રહેજો. અહીં ખિસ્સાકાતરું ચારેબાજુ ફરતા હોય છે. અન્નુ કપૂરે જણાવ્યું કે તે પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવશે.

View this post on Instagram A post shared by Annu Kapoor (@annukapoor)

અહીં એક સારી વાત એ છે કે અન્નુ કપૂરનો પાસપોર્ટ તેમની પાસે જ હતો. તેમણે હતાશ થઈને કહ્યું કે, હું યૂરોપ ટૂર પર આવ્યો હતો, પરંતુ મારી બેગ અને ગેજેટ્સ જ ચોરાઈ ગયા છે. આ વીડિયો પોસ્ટ કરીને તેમણે ફ્રાન્સના અધિકારીઓ, મંત્રીઓ અને ઈન્ડિયન એમ્બેસીને પણ ટેગ કરી છે. આ સિવાય અન્ય એક વીડિયોમાં તેમણે કહ્યું કે, ફ્રાન્સને પોતાની સંસ્કૃતિ પર ભલે ગર્વ હોય પણ હું જેટલા લોકોને મળ્યો છું તેમાંથી 50 ટકા લોકો ઉદ્ધત હતા. આ સિવાય તેમણે ત્યાંની ટ્રેનની ફરિયાદ કરતાં કહ્યું કે, આપણા ભારતની ટ્રેનો આના કરતા દસ ગણી વધારે સારી છે.

લગ્ન બાદ 'જોરુનો ગુલામ' બની ગયો છે રણબીર! મમ્મી નીતૂ કપૂરે કહ્યું- 'પાંચેક દિવસે ફોન કરે છે'
ઉલ્લેખનીય છે કે ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અન્નુ કપૂર લોકપ્રિય હસ્તી છે. તેમણે અભિનયની સાથે સાથે રેડિયો, પ્રોડક્શન, થિએટર અને ડિરેક્શન ક્ષેત્રમાં પણ કામ કર્યું છે. વર્ષ 2021માં અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમીની ફિલ્મ ચેહરેમાં અન્નુ કપૂર જોવા મળ્યા હતા.

Read Next Story