એપશહેર

ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થયો આ બોલિવૂડ એક્ટર, 20 દિવસ સુધી આરામની સલાહ

Yogesh Gajjar | I am Gujarat 24 May 2019, 2:42 pm
I am Gujarat bollywood actor got injured during the film shoot
ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થયો આ બોલિવૂડ એક્ટર, 20 દિવસ સુધી આરામની સલાહ


ફિલ્મના સેટ પર ઈજાગ્રસ્ત થયો જોન

બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ એવા સ્ટાર્સમાંથી છે જે પોતાની ફિલ્મોમાં એક્શન માટે જાણીતો છે. જોન પાછલા દિવસોમાં મહેબૂબ સ્ટુડિયોમાં પોતાની ફિલ્મ ‘પાગલપંતી’નું શૂટિંગ કરી રહ્યો હતો અને આ દરમિયાન એક દુર્ઘટના થઈ જતા જોન અબ્રાહમ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ડોક્ટરે તેને ત્રણ અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

20 દિવસ સુધી આરામની સલાહ

આ દુર્ઘટનામાં જોનની મલલ્સમાં ઈજા પહોંચી છે. મુંબઈ મિરરની એક રિપોર્ટ અનુસાર જોન આગામી બે અઠવાડિયા સુધી ફિલ્મનું શૂટિંગ નહીં કરી શકે. જાણકારી મુજબ જોનની ઈજા વધે નહીં આ માટે તેને લગભગ 20 દિવસ સુધી આરામ કરવાની સલાહ અપાઈ છે. કહેવાઈ રહ્યું છે કે ફિલ્મના આ સીનમાં તેના કો-સ્ટાર્સ પણ સાથે હતા. જણાવી દઈએ કે ‘પાગલપંતી’ ફિલ્માં જોન ઉપરાંત અનિલ કપૂર, અરશદ વારસી, પુલિક સમ્રાટ, ઈલિયાના ડિક્રૂઝ અને કૃતિ ખરબંદા પણ છે. આ કોમેડી ફિલ્મને લંડન અને લીડ્સમાં શૂટ કરાઈ રહી છે.

ફિલ્મનું 90 ટકા શૂટિંગ ખતમ

ફિલ્મના પ્રોડ્યૂસર કુમાર મંગતે આ દુર્ઘટનાની ખબરને કન્ફર્મ કરી છે. તેમણે કહ્યું, ‘આ સિમ્પલ શોટ હતો, પરંતુ ખોટા ટાઈમિંગના કારણે ઈજા થઈ ગઈ. અમારી ફિલ્મનું 90 ટકા શૂટિંગ લંડન અને લીડ્સમાં ખતમ કરી લેવાયું છે. મુંબઈમાં આ ફિલ્મનું લાસ્ટ શિડ્યૂલ હતું જેને રિ-શિડ્યૂલ કરવું પડશે. જોનની રિકવરી મુજબ આગામી અઠવાડિયે ફિલ્મનું શિડ્યૂલ ક્યારે રાખવું છે તે નક્કી થશે. અમે જૂનના અંત સુધીમાં આ ફિલ્મને ખતમ કરી દઈશું.’

સીક્વલ પર કામ કરવાનું શરૂ

ઉલ્લેખનીય છે કે પાગલપંતીની ટીમે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ તેની સીક્વલ પર પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીમાં લંડનમાં શરૂ થયું અને એપ્રિલમાં ખતમ થયું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો