લોકસભા ચૂંટણી પહેલા પોલિટિશિયન બનેલી બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ થઈ રહેલી રહેલી પરેશાનીના કારણે સરકારથી નારાજ છે. હાલમાં જ કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડનારી એક્ટ્રેસે કહ્યું કે ફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ હોવાના કારણે પાછલા 22 દિવસથી તે લોકો જમ્મુ-કાશ્મીરમાં રહેલા ઘરવાળા સાથે વાત નથી કરી શક્યા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:ઉર્મિલાએ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાની રીતને અમાનવીય ગણાવી. એક્ટ્રેસે કહ્યું, સવાલ તે નથી કે આર્ટિકલ 370 કટાવી લેવાયો. પરંતુ તેને અમાનવીય રીતે અંજામ અપાયો છે. આર્ટિકલ 370 હટાવ્યા બાદથી જમ્મુ-કાશ્મીરમાં કોમ્યુનિકેશન બ્લેકઆઉટના કારણે ઘણા લોકો પોતાના ઘરવાળાનો સંપર્ક નથી કરી શકતા. ઉર્મિલાએ જણાવ્યું કે તેના સાસુ-સસરા બંને શારીરિક રીતે ફિટ નથી. એક્ટ્રેસે કહ્યું, મારા સાસુ-સસરા બંને ડાટાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દી છે. 22 દિવસોથી ના તો મેં કે મારા પતિએ તેમની સાથે વાત કરી છે. અમને કોઈ ખ્યાલ નથી કે તેમની પાસે દવા છે કે નહીં. ઉલ્લેખનીય છે કે ઉર્મિલાએ 2016માં જમ્મુ-કાશ્મીરના એક્ટર-મોડલ અને બિઝનેસમેન મોહલસિન અખ્તર મીર સાથે લગ્ન કર્યા હતા.આ પણ જુઓઃ સુરતમાં રસ્તા પર થૂંકનારને જાહેરમાં ઉઠબેસ કરાવાઈ