એપશહેર

કંગના રનૌતના દરરોજ 40થી 50 હજાર ફોલોઅર્સ ઓછા થઈ રહ્યા છે, એક્ટ્રેસે કહ્યું કે...

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના મુજબ દરરોજ તેના 40થી 50 હજાર ફોલોઅર્સ ઘટી રહ્યા છે.

I am Gujarat 31 Aug 2020, 8:48 pm
બોલિવૂડમાં નેપોટિઝમ અને પક્ષપાતને લઈને ચર્ચામાં રહેતી એક્ટ્રેસ કંગના રનૌતના ટ્વિટર ફોલોઅર્સમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના જણાવ્યા મુજબ દરરોજ તેના 40થી 50 હજાર ફોલોઅર્સ ઘટી રહ્યા છે. વાત જાણે એમ છે કે એક યૂઝરે ટ્વિટ કરીને કંગનાનું આ મુદ્દે ધ્યાન ખેંચ્યું અને જણાવ્યું કે તેના ફોલોઅર્સની સંખ્યા ઓછી થઈ રહી છે.
I am Gujarat bollywood kangana ranaut twitter followers dropping
કંગના રનૌતના દરરોજ 40થી 50 હજાર ફોલોઅર્સ ઓછા થઈ રહ્યા છે, એક્ટ્રેસે કહ્યું કે...


ચોકીદાર ફિર સે નામના ટ્વિટર અકાઉન્ટ પરથી એ પ્રકારે ટ્વિટ કરાઈ કે કંગનાજી, તમારા ટ્વિટર ફોલોઅર્સ ઘટી રહ્યા છે. એક કલાક પહેલા જે ફોલોઅર્સ 992000 હતા તે હવે ઘટીને 988000 થઈ ગયા છે. આ ટ્વિટનો જવાબ આપતા કંગનાએ લખ્યું કે હું તમારી વાત સાથે સહમત છું. મેં એક પેટર્ન નોટિસ કરી છે, દરરોજ 40થી 50 હજાર ફોલોઅર્સ ઘટી રહ્યા છે. હું ટ્વિટર પર નવી છું. પણ આ કેવી રીતે અને કેમ થઈ રહ્યું છે? કંગનાએ આ ટ્વિટમાં ટ્વિટર ઈન્ડિયા અને ટ્વિટર સપોર્ટને પણ ટેગ કર્યા છે.

એક અન્ય ટ્વિટના જવાબમાં કંગના રનૌતે લખ્યું કે હું જોઈ રહી છું કે રાષ્ટ્રવાદીઓને દરેક જગ્યાએ સંઘર્ષ કરવો પડે છે. આ રેકેટ ખૂબ મજબૂત છે. મેં નોટિસ કર્યું, કારણકે કાલે રાત્રે અમે 10 લાખની નજીક પહોંચી ગયા હતા. જે લોકોને આપમેળે અનફોલો કરવામાં આવી રહ્યા છે, તેઓની માફી. આ ઠીક નથી, પણ શું આપણને તેની આદત થઈ ગઈ છે?

અહીં ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે એક્ટ્રેસ કંગના રનૌત શરૂઆતથી 'બોલિવૂડ માફિયા' પર નિશાન સાધતી આવી છે. કંગના રનૌતે એ વાતને ઉપાડી હતી કે બોલિવૂડમાં કેટલાંક શક્તિશાળી લોકો આ ઈન્ડસ્ટ્રીને પોતાની મરજી મુજબ ચલાવવા માગે છે. તેણે નેપોટિઝમ પર પણ નિશાન સાધ્યુ હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો