એપશહેર

બોલિવૂડ સિંગર વિદેશમાં ફસાઈ, વિડીયોમાં જે કહ્યું તે બધાએ સાંભળવું જોઈએ

Yogesh Gajjar | I am Gujarat 20 Mar 2020, 2:15 pm
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કારણે અફરાતફરી મચી છે. જે લોકો ભારતની બહાર છે સુરક્ષિત પોતાના દેશમાં પાછા આવવા ઈચ્છે છે. ઘણા લોકો પાછા આવી ગયા છે. આ વચ્ચે બોલિવૂડ સિંગર મોનાલી ઠાકુર તરફથી અપડેટ્સ મળ્યા છે કે તે સ્વિત્ઝરલેન્ડમાં ફસાઈ ગઈ છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો શેર કરીને આ જાણકારી આપી અને ભારત સરકારની પ્રશંસા કરી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:મોનાલીએ વિડીયોમાં આપ્યો મેસેજમોનાલીએ વિડીયોમાં કહ્યું કે, ‘હું આશા કરું છું કે તમે બધા હેલ્ધી હશો. બધા કોરોના વાયરસની વાત કરી રહ્યા છે. હું આ વિડીયો બનાવીને જણાવવા ઈચ્છું છું કે હું ભારતમાં નથી સ્વિત્ઝરલેન્ડમાં છું. ઘણા લોકો નથી જાણતા હશે કે હું અડધો સમય ભારતમાં અને અડધો સમય સ્વિત્ઝરલેન્ડમાં રહું છું. મારો પરિવાર અહીં છે. જો તમે લેટેસ્ટ ન્યૂઝથી અપેટેડ છો તો બહારના લોકો ભારતમાં નથી આવી શકતા. આથી હું પોતાના દેશમાં પાછી નથી આવી શકતી. હું સંપૂર્ણ રીતે આ વાતને સમજુ છું અને પ્રશંસા કરું છું કે ભારત સરકારે આ નિર્ણય લીધો અને મને લાગે છે કે આપણે વધારે અગ્રેસિવ થવાની જરૂર છે. હું ઠીક છું અને મને કંઈ નથી થયું. કોઈ કોરોના વાયરસ ડિટેક્ટ નથી થયો. અહીં લોકડાઉન છે. અહીં બધી દુકાનો બંધ છે, જેવી રીતે મુંબઈમાં પણ છે. આ પગલું જરૂરી છે. હું આ વાતથી ડરેલી છું. ભારતમાં લોકોને કદાચ સમજાઈ રહ્યું નથી. પરંતુ આ મોટી ચેતવણી છે. એટલા માટે નહીં કારણ કે બીમારીથી લોકો મરી રહ્યા છે.’ભારત માટે બની શકે મુશ્કેલીમોનાલીએ કહ્યું કે, જે વૃદ્ધ લોકો છે તેમની ઈમ્યૂન સિસ્ટમ એટલી સારી નથી હોતી. આ કારણે તેમને વધારે ખતરો છે. સારી ઈમ્યૂન સિસ્ટમવાળા લોકો તેનાથી લડી રહ્યા છે. જો તેને સીરિયસ નહીં લેવામાં આવે તો આપણા દેશ માટે મોટી મુશ્કેલી બની જશે. બધા લોકોએ એકસાથે એકઠા ન થવું જોઈએ.યુદ્ધ જેવી સ્થિતિમોનાલી કહે છે કે, સ્વિત્ઝરલેન્ડની વસ્તી વધારે નથી અને અહીં સરકારે કડક નિર્ણયો લીધા છે. અહીં યુદ્ધ જેવી સ્થિતિ છે. તેણે કહ્યું કે, તેણે ઈન્સ્ટા પર ઘણા વિડીયો જોયા છે. જો યુવાન લોકોને પણ તે થઈ જાય તો ક્વોરન્ટીનથી સાજા થઈ જશે. ભારતની વસ્તી વધારે છે. જો અહીં એક સાથે લોકોને કોરોના થઈ ગયો તો હોસ્પિટલમાં બેડ પણ નહીં મળે વિચારો પછી શું થશે. મોનાલીએ કહ્યું, ભારતમાં આવું થયું તો સ્થિતિ સંભાળવી મુશ્કેલ થઈ જશે. તેણે લોકોને વિનંતી કરી તે સુરક્ષિત રહે. તેણે લોકોને ચેતવ્યા કે જો કંટ્રોલ નહીં થાય તો સ્થિતિ ગંભીર થઈ જશે.મોનાલીએ કહ્યું કે, તેણે વાચ્યું કે ગૌમૂત્ર પીવાથી આ ઠીક થઈ જશે. પરંતુ આ હાસ્યાસ્પદ છે. તેમણે કહ્યું તે દરેક ધર્મનું સન્માન કરે છે પરંતુ તમે લોકો આ સમયે આવી વાતોનો વિશ્વાસ ન કરશો. હજુ તમે કામ માટે ભાગી રહ્યા છે. જો આ સંપૂર્ણ રીતે ફેલાઈ જશે તો ઈકોનોમી પર ખરાબ અસર પડશે અને લોકોનો જીવ જશે. આથી જીવતા રહેવું જરૂરી છે.

Read Next Story