એપશહેર

Brahmastraને પ્રમોટ કરવા માટે રાજામૌલીએ કરણ જોહર પાસેથી 10 કરોડ રુપિયા લીધા? જાણો, હકીકત

બ્રહ્માસ્ત્ર ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે અને બોક્સઓફિસ પર સારું પ્રદર્શન પણ કરી રહી છે. પરંતુ ફિલ્મને લગતા વિવાદો સમાપ્ત થવાનું નામ નથી લેતા. હવે વધુ એક અટકળ સામે આવી છે કે કરણ જોહરે ફિલ્મને પ્રમોટ કરવા માટે એસએસ રાજામૌલીને 10 કરોડ રુપિયા આપ્યા હતા, પરંતુ હકીકત અલગ જ છે.

Edited byZakiya Vaniya | TNN 15 Sep 2022, 9:38 am
રણબીર કપૂર(Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના(Alia Bhatt) લીડ રોલ વાળી ફિલ્મ બ્રહ્માસ્ત્ર(Brahmastra) રીલિઝ પહેલાથી જ ખૂબ ચર્ચામાં રહી હતી. ટ્રેલર રીલિઝ થયું ત્યારથી જ તેનો વિવિધ કારણોસર વિરોધ થઈ રહ્યો છે. રણબીર કપૂર દ્વારા 10 વર્ષ પહેલા આપવામાં આવેલું નિવેદન, નેપોટિઝમ, પ્રોડ્યુસર કરણ જોહરનો વિરોધ તેમજ ફિલ્મમાં હિન્દુ ધર્મના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ, આ પ્રકારના અનેક કારણોસર લોકોએ ફિલ્મના બહિષ્કારની ખૂબ માંગ કરી. પરંતુ આ નેગેટિવ કેમ્પેઈનની ફિલ્મની કમાણી પર ખાસ અસર પડી હોય તેમ લાગતું નથી. ફિલ્મે શરુઆતના દિવસોમાં જ સારો બિઝનસ કર્યો છે. હવે સોશિયલ મીડિયા પર એક એવી અટકળે જોર પકડ્યું છે કે, બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે બાહુબલી ફેમ ડાઈરેક્ટર એસએસ રાજામૌલીએ 10 કરોડ રુપિયા લીધા હતા.
I am Gujarat Ss rajamouli
બ્રહ્માસ્ત્રના પ્રમોશન દરમિયાન ટીમ સાથે જોવા મળ્યા રાજામૌલી.


'બ્રહ્માસ્ત્ર'ની સફળતા પછી ફરી એકવાર સાથે કામ કરવા ઉત્સુક Alia Bhatt-Ranbir Kapoor, રોમ-કોમ ફિલ્મ કરી શકે!
ઉલ્લેખનીય છે કે એસએસ રાજામૌલીએ સાઉથમાં બ્રહ્માસ્ત્રનું ખૂબ પ્રમોશન કર્યું. તે રણબીર, આલિયા અને અયાનની સાથે ઘણી વાર ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા. ટ્રેલર રીલિઝ હોય કે પ્રિમિયર, રાજામૌલી મોટાભાગે ટીમ સાથે જોવા મળતા હતા. રાજામૌલીએ ફિલ્મના વખાણ પણ કર્યા હતા. નોંધનીય છે કે રાજામૌલીની ગણતરી દક્ષિણ ભારતના પોપ્યુલર અને મોટા ડાઈરેક્ટર્સમાં થાય છે. તેમની મોટાભાગની ફિલ્મો સુપરહિટ સાબિત થાય છે, બાહુબલી અને આરઆરઆર તેનું ઉદાહરણ છે. અને હવે જ્યારે તેમને 10 કરોડ રુપિયા આપ્યા હોવાની ચર્ચા શરુ થઈ છે તો લોકોને વિરોધનું અન્ય એક કારણ મળી ગયું છે.

તમને જણાવી દઈએ કે, એક ફિલ્મ વેબસાઈટના રિપોર્ટ અનુસાર એસએસ રાજામૌલીએ 10 કરોડ રુપિયા લીધા છે તે વાત સંપૂર્ણપણે પાયાવિહોણી છે. કરણ જોહરના પ્રોડક્શન હાઉસના સૂત્રો જણાવે છે કે રાજામૌલીએ પોતાની મરજીથી જ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કર્યુ હતું. વાસ્તવમાં જ્યારથી કરણ જોહરના પ્રોડક્શન હાઉસે બાહુબલી ફિલ્મને ડિસ્ટ્રિબ્યૂટ કરી હતી ત્યારથી જ કરણ જોહર અને રાજામૌલીના ઘણાં સારા સંબંધ રહ્યા છે. અને આ જ કારણોસર રાજામૌલીએ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કર્યું અને દક્ષિણની ભાષાઓમાં ફિલ્મને પ્રેઝન્ટ પણ કરી. આ પ્રકારની અટકળો કરણ જોહરના રાજામૌલી સાથેના સંબંધો ખરાબ કરવા માટે ફેલાવવામાં આવી રહી છે.

‘મોહન ભાર્ગવ’ માટે અલગથી ફિલ્મ બનાવી શકે છે અયાન મુખર્જી! શાહરુખ ખાનના ફેન ખુશ થઈ જશે
ઉલ્લેખનીય છે કે 9મી સપ્ટેમ્બરના રોજ બ્રહ્માસ્ત્ર ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. પ્રથમ વીકેન્ડ પર ફિલ્મે ઘણી સારી કમાણી કરી હતી. માત્ર હિન્દીભાષી રાજ્યો અને ઉત્તર ભારતમાં જ નહીં, ફિલ્મે દક્ષિણ ભારતમાં પણ સારી કમાણી કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સિવાય અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મૂખ્ય ભૂમિકામાં છે. આ સિવાય દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનનો કેમિયો રોલ પણ છે. ફિલ્મના ડાઈરેક્ટર અયાન મુખર્જીએ ફિલ્મ બનાવવામાં 10 વર્ષ આપી દીધા છે. કોરોના મહામારી સહિત વિવિધ કારણોસર ફિલ્મને બનવામાં અને પછી રીલિઝ થવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મમાં VFXનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે, અને લોકોએ તેના વખાણ પણ કર્યા છે. ફિલ્મના ડાયલોગ અને સ્ક્રીનપ્લેની ક્રિટિક્સ દ્વારા ટીકા કરવામાં આવી છે.

Read Next Story